________________
જ
નિજ નારી ગુમાવી ગુરુ દુઃખીયો,એક આંખ વિના વળી શુક્ર થયો. સહુથી કહું સત્ય શની બળીયો, ખુદ પાય ખરેખર તો ટળીયો. રહે રાહુ દુઃખી ઘડ વિણ બહુ, નહિ કેતુ તણું કદી શીશ કહું. ગ્રહને નડવે જન કષ્ટ કહો, ઉપમાંહી વિચાર જરા ન લો. અરે એકથી એક નવે દુઃખીયા, ગ્રહને નડવા ગ્રહ કોણ ગયા. ઇલ્કાબ કહો ગ્રહને જો કદા, કહે કાળું નવે ઉરમાંહી સદા.
9 પદ-૧૪, મનહર છંદ
જીવની ગતી થવા વિષે કહું અવસાન તણી સાન શાણા સજ્જનોને, જીવનને જોવા પંચ સ્થાન આ સદાય છે. ચરણથી સેવતા રે, નક્કી ગતી નરકની, જંઘા થકી જાય ત્યારે, તિર્યંચતા પાય છે. હોયે થોડા કરમી હંસ, હાલે તે હૃદય થકી, માનો વાત સાચી ગતી, મનુષ્યની થાય છે. શીશ થકી જાતા શૂર-પદને પમાય પ્રીતે, સર્વાગેથી કાળું કહે, મોક્ષમાં સુહાય છે. આ સુણતા ગુપ્ત ભેદ, કોઈ જીવ શંકા કરે, અમુક સ્થાનેથી ગયો, કેમ તે કળાય છે. ગુરુગમ ભેદ લાહી, ઉષ્ણતા જણાય નહીં, ત્યાંથી જીવ ગમન, જ્ઞાની એમ ગાય છે. 9 પદ-૧૫, મનહર છંદ વ્ય
કાળજ્ઞાન ભ્રકુટી ન દેખે નર, મૃત્યુ નવ દિવસમાં, અનહદ ન સુણે તો, જાય દિન સાતમાં. તારકા ન દેખે નર, સ્થિતિ પાંચ દિવસની,
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org