________________
ઉપર કહ્યો એવો બંને પ્રકારનો અનુભવ મુમુક્ષુ જીવોને સત્ પુરૂષના ને આશ્રયે યથાર્થ વસ્તુસ્થિતિ સમજી ચેતન અને જડને ભિન્ન સ્વરૂપ પ્રતીત કરી આરાધન કરે દેહાધ્યાસ ટળી દૃશ્ય પદાર્થનો અભાવ
થવાથી થાય છે. * જૈન શાસ્ત્ર મુજબ નવ તત્વ-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવા, *
બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, તેમાં ચાર તત્વ અજીવના કહ્યા અને ત્રણ તત્ત્વ-સંવર, નિર્જરા, મોક્ષ જીવના વહેવારથી કહ્યા, જીવ સિવાય કે આઠ તત્વનું અસ્તિત્વ છે કે નહી તેની આઠ તત્વને ખબર નથી.
જીવ તત્વ અજીવનાં ચાર તત્વ પુણ્ય, પાપ, આશ્રવ, બંધને જાણે અને વસ્તુસ્થિતિ સમજી આરાધન કરે. જીવના તત્વ સંવર નિર્જરા મોક્ષને પણ જાણે. બાકી આઠ તત્વમાં અજ્ઞાનથી જીવ ખોવાય ગયો એ આશ્ચર્ય. વેદાંતના પચ્ચીસ તત્વ. ૫. પાંચ ભૂતનો પૂલ દેહ ૫. પાંચ જ્ઞાન ઇંદ્રિયો
૫. પાંચ કર્મ ઇન્દ્રિયો * ૫. પાંચ પ્રાણ વાયુ
૪. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ૧. જીવ તત્વ ૨૫ તત્વ
ચોવીસ તત્વો જેને પોતાનું અસ્તિત્વ છે કે નહીં તેની ખબર નથી. આ જીવ તત્વના આશ્રયે ચોવીસ તત્વો જણાય. આ ચોવીસ તત્વોમાં
જીવતું જાગતું આત્મ તત્વ ખોવાઈ ગયું એ આશ્ચર્ય. નિવૃત્તિના ટાઇમમાં છે એનો વિચાર કરવાથી જીવ તત્વ પ્રગટ થાય છે. કૃપાળુદેવ કહે છે.
“વસ્તુ વિચાર વિના ક્ષણ પણ ન રહેવું” “સત્ નું સ્મરણ કરવું અને
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org