________________
ડરતો નથી તું દીનાનાથથી રે, કરે કરમ અપાર રે. લુબ્ધ થઈને લીંગ વાસના એ, સુખ માણે છે સંસાર રે... જોતાં-૨ પણ તેં ઓદરમાં અધોમુખે રે, દુઃખ વેક્યું નવ માસ રે,
ત્રાયે ગાયે થઈને સમે રે, કર્યું નાથનું ઉપાસ રે... જોતાં-૩ છે તે દિન તું કેમ વિસરે રે, ભુલ્યો ભક્તિ કેરું ભાન રે, | સ્વપ્નાનું સુખ સંસારનું, શીદ લાવે તું ગુમાન રે... જોતાં-૪
જોબનનું જોર તો જાતું રહે રે, જરા આવી જીવ જાણ રે, કાયા કંપે ને ચુવે નાસીકા, ત્યારે મનમાં રહેશે તાણ રે...જોતાં-૫ કાળ ચક્કર માથે પોતાનું રે, ચેક પડાવે ચોર રે, ઝડપીને જાશે જ્યારે જીવને, જેમ ચુક્યો નટ દોર રે... જોતાંબેન બંધુને માત તાતજી રે, જોઈ રહેશે ઘર માંહી રે, રાગ કાઢીને રીતી રાખશે, નથી સોબતી કો ત્યાંહી રે... જોતાં-૭ કેવાનું હતું તે હું કહી રહ્યો રે, રટો કોઈ રણુંકાર રે, કાળુનો ઓથ એક રામની, શ્યામ ઉતારો ભવ પાર રે... જોતાં-૮
પદ-૩૯, રાગ : આશા ગોડી . મન કલ્પીત દુઃખ ભારી, અહા પ્રભુ મન કલ્પીત દુઃખ ભારી, કલ્પીત કમળા અહોનીશ ચાહે, લેશ મીલે ન દુઃખ ભારી... અહા-૧ પર વૈભવ પુર પરખીને પોતે, અંગ અનલ રહે ધારી. અહા-૨ દીન દીન દુઃખીયો વરવાને દારા, એહ અખંડ વિચારી... અહા-૩ જ પુન્ય પ્રભાવે જો કદી પાવે, ધીક રહે ન ધીર ધારી... અહા-૪ 4 સુખ નહિ સ્વપ્ન સંતતી માટે, વસમું લગાડે વિચારી.. અહા-૫ , | કોઈ વિરુદ્ધને વેરથી દુઃખીયા, મહામન દુઃખીયા વિકારી.... અહા-૬ ! છેકોઈ તન દુઃખીયા, કોઈ ધન દુઃખીયા, કોઈ મને દુઃખીયા કુનારી... અહા-૭
વ્યર્થ વિચારે દુઃખ દીલ કાળ, શાન્તિ સદા સુખકારી.. અહા-૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૨૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org