________________
મરણ છે. માટે ભય ભાવ મરણનો રાખવો યોગ્ય છે. દ્રવ્ય મરણ તો પુદ્ગલીક દેહનું મરણ છે, પણ આત્માનું અમરત્વપણું જો યથાર્થ છે સમજીને પ્રાપ્ત થયું હોય તો દ્રવય મરણથી કાંઈ હાની નથી.
બીજું આપના મનને કાંઈક એમ લાગે છે કે પ્રથમ તમે જે લાંબી વિગતથી કાગળ લખ્યો છે, તેથી તમારા તરફથી મને કંઈ દુ:ખ લાગ્યું છે ' હોય, પણ તે વિચાર તમો જરાપણ લાવશો નહિ, ને તેમાં મને દુ:ખ ! લાગે તેવો મારો ને તમારો પ્રેમ નથી. શ્રી(ગોળ) કોઠારીને ઘેર ગયા ત્યારે તમે અને મેં કઈ જાતની પ્રતિજ્ઞા આપણે બે વચ્ચે કરી હતી, તે મને તો સ્મૃતિમાં છે, તેમ તમને પણ હશે ને તેના અંગે તમે લખવાના જ હક્કદાર છો. આ તો શું પણ તેથી વિશેષ લખવાને હક્કદાર છો. હવે * તે બાબતનો ખુલાસો નીચેની વિગતથી જાણશો.
તમારા મનમાં એમ હશે કે બાપા (હકા ભગત-ઝીં ઝુડા)ની આ વધારે સેવા થઈ શકી નહિ, થઈ હોત તો વધારે લાભ થાત, પણ
જેવા પ્રકારથી, જેટલા અંશે જ્ઞાનીની ઓળખાણ જીવને થાય છે, જ છે તેવા જ પ્રકારે ને તેટલા જ અંશે જ્ઞાની પ્રત્યે પ્રેમ ઉલસે છે. હવે તે ' પોતાની જેટલી યોગ્યતા હોય, તેટલી જ જ્ઞાનીની ઓળખાણ પડે !
છે. તે યોગ્યતામાં જો ન્યૂનતા હોય તો વિશેષ ઓળખાણ પડવામાં વિઘ્નરૂપ થાય છે. હવે આ ઠેકાણે તમે એમ કહો કે તમે એમ * સ્પષ્ટ શા માટે ન કહ્યું કે તન, મન, ધન અર્પણ કરી, આ પુરુષની જ છે સેવા થાય તેટલી કરો.
આવી શંકા કરો તો થઈ શકે કે કદાચ એમ કીધું હોય તો તમને જે લાભ થયો છે તેથી વિશેષ પ્રકારનો જે લાભ થવાની જરૂર હતી, અને મને પણ જણાતી હતી. પણ તે લાભ તેમના તરફથી થાય તેવું મારું
માનવું ન હતું, કારણ કે તેમનો માર્ગ જ્ઞાન ગરમીત અને ભક્તિ છે. પ્રધાન હતો, હવે તેવી ભક્તિ તો જીવન પર્યત સેવા પુરુષનાં ચરણકમળ છે. તન-મન-ધનથી સેવાય તો જ આવે, અગર સંપૂર્ણ જ્ઞાનમાર્ગ પ્રત્યક્ષ
જ્ઞાની આશ્રયે સમજાય તો જ આવે. હવે કાયમ તેના સમાગમમાં તે રહેવું આપ જેવાને માટે બહુ અશક્ય લાગતું હતું, કારણ કે તમારી છે
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org