________________
જ શરીર પ્રકૃતિ તેમ જ તમારી તાસીર હું સાથે આવતો ત્યારે જોયા
કરતો હતો, અને તમારા માટે તેમ રહેવું અશક્ય લાગતું હતું, તેમ જ તમને તેમના પાસે કદાચ કાયમ રહેવાનું કહું તો તમને એમ પણ છે વિચાર આવે કે મને કહે છે અને પોતે તો તેમ કરવાનો, નાની વય છે કે
છતાં કાં વિચાર કરતો નથી ? આવી પણ મને શંકા રહેતી તેથી તે કરતા જો તમને જ્ઞાનમાર્ગનું સંપૂર્ણ જાણપણું થાય તો ભક્તિ તેમાં જ સાથે આવી જશે એમ ધારી જ્ઞાન માર્ગ તરફ આપને ખેંચતો આવ્યો હતો. હવે જ્ઞાનમાર્ગમાં પરમાત્માએ જુદા પાડવાનું નિમિત્ત ઊભું કર્યું, છતાં મારી અને તમારી આકર્ષણ શક્તિ તો જેવી ને તેવી જાગૃત હતી, તેથી જલગામ મારે આવવાનું બન્યું, પણ પરમાત્માની મરજી તેમાં પણ વિરોધી હતી, મારો તો વિચાર હજુ તે જ્ઞાનમાર્ગ આપને બરાબર સમજાવવા માટે જ ફાંફાં મારે છે, પણ કઈ રીતે સમજાવવું તે સુજતું નથી. હવે ચોખ્ખા શબ્દોમાં આજ તો લખું છું કે બાપા તરફથી તમને થયેલ લાભ દ્રષ્ટિમાં આવતો નહીં હોય, પણ અમને એમ લાગે છે કે સોળસોળ આના માર્ગની પ્રાપ્તિ બાપાનાં પ્રતાપે થઈ છે. પણ તે પ્રાપ્તિની ઓળખાણ આપને પડતી નથી તેથી શાંતિ પૂરી અનુભવી શકાતી નથી, ને પોતાના સ્વરૂપની હજુ શંકા રહ્યા કરે છે. તે પણ અત્યારે અહીંનું વાતાવરણ અમારા ચાર પાંચ જણાનું પરમાત્માએ એવું ભેગું કર્યું છે કે તેવા સત્સંગમાં એક છ મહિના આપ હો તો પોતાના સ્વરૂપની યથાર્થ ઓળખાણ થાય તેમાં જરા પણ શંકા રહેવા પામે નહીં.
સ્વરૂપની પ્રાપ્તિ જ્ઞાની પુરુષે બે પ્રકારે કહી છે. એક અવ્યક્ત રીતે અને બીજી વ્યક્ત રીતે. હવે વ્યક્ત શબ્દનો અર્થ સ્પષ્ટ, અપરોક્ષ, પ્રત્યક્ષ એમ થાય છે અને અવ્યક્ત શબ્દનો અર્થ અસ્પષ્ટ, પરોક્ષ અને અપ્રત્યક્ષ થાય છે. તેમાં આપને અવ્યક્ત રીતે તો સ્વરૂપની પ્રાપ્તિ છે પણ તે વ્યક્ત રીતે થાય તો જીવતાં મોક્ષનું સુખ અગર તો જીવન મુક્ત દશા તે અહીં જ દેહધારીપણે અનુભવાય જ, તેનો ઉધારો હોય છે જ નહીં.
૨૨૬
|
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org