SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ મારી અલ્પ બુદ્ધિ અનુસાર જવાબ આપેલા છે. ખરું તત્ત્વજ્ઞાની : ગમ્ય. હિત-અહિત લાગે તો ક્ષમા આપશો. કાગળથી સમજાય તે ' કરતાં સમાગમ હોય તો વિશેષ સમજાય. ૪) પત્ર નં. ૭ જ . છે ૩ૐ શ્રી સરુષના ચરણકમળમાં અનન્ય ભક્તિભાવે નમસ્કાર સંવત્ ૧૯૯૪ના મહા વદી ૭ પરમ જીજ્ઞાસુ ભાઈ પરસોતમ હમજીની સેવામાં, મુ. અમલનેર સાયલાથી લી. નમ્ર બાળ કાળીદાસ માવજીના દંડવત્ પ્રણામ જ વાંચશો. છે વિ. ઘણાં દિવસ પહેલા આપનો વિશેષ વિગતથી ત્રણ પ્રશ્નો સાથેનો પત્ર મને મળ્યો હતો તથા આર્જનો બીજો પત્ર ક્ષમાપનાનો તે પણ મળ્યો છે. આપ ક્ષમા માગવાને યોગ્ય નથી, ક્ષમા માગવાને હું યોગ્ય છું. તો છે વ્યવહાર પ્રસંગોમાં તેમ જ પરમાર્થ પ્રસંગોમાં આપની લાગણી મારાથી ! દુભાણી હશે તેમ મને લાગે છે. તો આપ દોષોને દરગુજર કરી મારા જ અવિનયની, દોષોની માફી આપશો. જો કે આપે લખ્યું કે દેહ ક્યારે છૂટો થશે તે કંઈ કહી શકાતું નથી. તો આપ વયમાં વૃદ્ધ છો તેથી એમ અનુમાન થાય, તે બરાબર છે. કાળની ગતિ એવી છે કે વૃદ્ધ, યુવાન છે. કે સામાન્ય વયના માણસોને પણ ક્યારે કોળિઓ કરી જશે તે અનુમાનમાં આવી શકતું નથી. માટે સર્વેને માટે ભય છે. તે અજ્ઞાન અવસ્થા હોય છે ત્યાં સુધી ઊભો જ છે. જ્યારે આ દેહની સાથેનો સંબંધ તદ્દન નિવૃત્ત થાય અને આત્મદષ્ટિ જાગૃત રહેતી હોય, તો એક જૂનું ને જીર્ણ વસ્ત્ર બદલાવી તાજું વસ્ત્ર પહેરવા જેવું છે, તેથી કાંઈ આત્મગુણની હાની થવાની નથી. જ્યાં આત્મગુણની હાની ક્ષણે ક્ષણે થાય છે તે જ ભાવ ૨૨૪ ( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy