________________
કુડ કપટની કામ કોણે કરી રે,
ન્યાય નિતિથી દોડી રળે દામ તેને છાંટો..૯ રીતી રાખે છે રૂડા રાજહંસની રે,
કદી કરે નહિ કાગ તણા કામ...તેને છાંટો..૧૦ તાપ ત્રીવીધ ને જેની તૃષ્ણા ટળી રે,
વિષય વાસનાથી થઈ ગયો વિમુખ... તેને છાંટો...૧૧ વૈત ભાવ તણી તજી દીધી ભાવના રે,
કાળીદાસ પામે તે શીવ સુખ.તેને છાંટો.૧૨ 9 પદ-૧૦, રાગ રાગમરસ પીજે રે ભ્રાંતમાં ભટકે રે સંસાર, .............. બહુ વિધ સાધન બહાર કરે તું, કર્મ કરાવા રે જી, માની દુજો દેવ, જાય તિરથ વૃત્ત નાવા રે જી. અંતર અનુભવ ના કર્યો, ન ગયો વિષય વિકાર, સી સાધન બંધન થયા, ઉર નવ ગયો અહંકાર..ભ્રાંતમાં (૧) કોઈ તજી દઈ ઘરબાર, બહુ વનવાસ સધાયા રે જી, કોઈ રહે મુખ મોન, જ્ઞાન વિન ગમ નહિ પાયા રે જી, સ્વયં પ્રકાશી સદા, તે તો તારી પાસ, અવર ઉપાસે ના મીલે, છે કસ્તુરી મૃગ પાસ ભ્રાંતમાં (૨) પિંડમાં પ્રગટ દેવ ઉલંઘી, આપ અજાણે રે જી, અહિં તહિં ગોથા ખાય, દિર્ઘ દૃષ્ટિ દીલ નાણે રે જી, મારું તારું નવ ગયું, મનમાં વળગ્યું માન, ગુરુગ્રંથી ભેદ થયા વિના, ઉલટું વાળું અજ્ઞાન.. બ્રાંતમાં (૩) ચરચાવે ચોવેદ, ભેદ બીન ભુતળ ભટકે રે જી, બાહર બહુ આચાર, વિચાર, શુદ્ધ અંતર અટકે છે, સોપાધિક સેવા કરે, નિરૂપાધિક કરે કોય, જડની પ્રીતે જડ મલે, ત્યાં ચેતનતા નવ હોય... ભ્રાંતમાં (૪)
- શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૨૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org