________________
સારભુત વસ્તુ છે. અને તેની પ્રસિદ્ધિ અથવા ઓળખાણ કરી લેવી જ જોઈએ જેથી સામાન્ય ચેતનનો અનુભવ રહ્યા જ કરે. કોઈ પણ જીજ્ઞાસુ બેન કે ભાઈને અત્રે આવવું હોય તો સંકોચ રાખવો નહીં. '
) પત્ર નં. ૧૪ જ
સાયલા, તા. ર૭-૧-૯૬ ૪ છે બેન રમાબેન, મોરબી
જત તમારો ઈનલેન્ડ લેટર મળ્યો વાંચી આનંદ. તમારું બધું લખાણ જોતા તમો યથાશક્તિ પુરુષાર્થ કરો છો તે જોઈ પ્રમોદ થાય છે. તમો જે પુરુષાર્થ કરો છો તેનાથી શું લાભ થશે તે ટૂંકમાં જણાવું છું.
ઉપયોગ સ્વરૂપ આત્મા છે. જ્ઞાન સ્વરૂપ આત્મા છે.
ઉપયોગ લક્ષણ અને જ્ઞાન ગુણ બંને આત્માથી અભિન્ન છે એટલે આત્મા જ છે. ઉપયોગની પ્રસિદ્ધિના માટે તમારો પુરુષાર્થ છે. સંસાર અને દેહના ધર્મને ગૌણ કરી તમારો ઉપયોગ સુધારસનું ઉત્પત્તિ ક્ષેત્ર અને શ્વાસોશ્વાસ આત્માની પ્રસિદ્ધિ માટે બન્ને નિર્વિકારી સ્થાનો છે.
માટે મહાપુરુષોએ એ સ્થાનનું આલંબન બતાવ્યું છે. તેમ તેમાં પણ 1 સુધારસને શ્વાસોશ્વાછવાસ કરતા પહેલું સ્થાન આપ્યું છે. શાસ્ત્રમાં !
સુધારસને અમૃત અનુષ્ઠાન કહેલ છે. આપણે તો ઉપયોગની પ્રસિદ્ધિ છે કરવાનું કામ છે. ઉપયોગ જુદી વસ્તુ છે અને સુધારસ અને એનું ઉત્પત્તિ ક્ષેત્ર જુદી વસ્તુનું છે. ઉપયોગ એટલે આત્મા એટલે જ્ઞાન અને જે સુધારસ તથા તેનું ઉત્પત્તિ ક્ષેત્ર શેય છે. ધ્યાન રાખનાર | ઉપયોગ છે એ સારભુત વસ્તુ છે અને
_| સુધારસ તથા તેનું ઉત્પત્તિક્ષેત્ર શેય તપાસ રાખનાર | એટલે પરય છે. પણ આત્માને નજીકની વસ્તુ હોવાથી એના આલંબનથી ઉપયોગની જ પ્રસિદ્ધિ થશે. વૃત્તિઓ શાંત થઈ જશે અને શાંતરસની સ્થિરતા હળવે છે
હળવે અનુભવાશે. એના આલંબનથી ઉપયોગની ચપળતા ઓછી થતી .
જાણનાર
૩૨૮
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org