SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ જશે. ઉપયોગની જરૂર પ્રસિદ્ધિ થશે. કૃપાળુદેવ અને યશોવિજયજી મહારાજ કહે છે જે આ દેહમાં સારભુત વસ્તુ ઉપયોગ, તેનું જ્ઞાન એ જ જ્ઞાન. ઉપયોગની પ્રતિતી એ જ દર્શન અને રાત- દિવસ એમાં જ અને એના વિચારમાં રમણતા એ જ ચારિત્ર અથવા સ્થિરતા. પાંચ જ્ઞાનેન્દ્રિય અને મન એ પણ આત્માની પ્રસિદ્ધિ માટે ઊંચા સ્થાનો છે પણ તેમને વિષયો હોવાથી વિકારી સ્થાન કહેલ છે. જ્યારે સુધારસ અને શ્વાસોચ્છવાસ તેમને વિષયો નહીં હોવાથી નિર્વિકારી સ્થાન કહેલ છે. આ પુરુષાર્થથી કેટલો લાભ જીવને છે તે કલમ લખી શકે નહીં અને વાણી વર્ણન કરી શકે નહીં છતાં પણ લખાણ કરતા વાણીમાં સમાગમે વિશેષ કહી શકાય. પશુસણ પછી જામનગર જાવાનું થશે તો મોરબી આવી જઈશ. સમાગમમાં જેટલું કહી શકાય તેટલું લખાણમાં આવી શકે નહીં. તમોને અનુકૂળ હોય તો તમે, સવિતાબેન, જયાબેન, નીરૂબેન કોઈ વખતે અત્રે આવી શકો તો અનુકૂળ પડે. સવિતાબેન તથા બીજી બેનોને આત્મભાવે વંદન. અત્રેથી સર્વે ભાઈઓએ તમો સૈને આત્મવંદન લખાવ્યા છે. પત્રની પહોંચ લખશો. શ્રી કૃપાળુદેવે સુધારસના ધ્યાનને સમ્યજ્ઞાનનું બીજ અને પરાભક્તિનું મૂળ કહેલ છે. શ્રી દેવચંદજી મહારાજે ગાયું છે કે : દ : છોટાલાલના આત્મવંદન ‘અમૃત ક્રિયા અનુષ્ઠાનથી, આતમ અમૃત થાય છે.’ શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે : શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા Jain Education International For Personal & Private Use Only ૩૨૯ www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy