SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન સ્વરૂપ છે એ મુજબના અનુભવથી આપણે પહેલા સમકિતમાંથી જ બીજા સમકિતમાં આવ્યા. આના વિષે કૃપાળુદેવ કહે છે કે, “પરમાર્થનો સ્પષ્ટ અંશે અનુભવ થવો તે બીજું સમકિત થયું” એટલે કે ક્ષયોપશમ 1 જ્ઞાન થયું. હવે આપણે ત્રીજું સમકિત કે જે નિર્વિકલ્પ અનુભવ છે તેનો વિચાર પૂરેપૂરો કરવો પડશે. ક્ષયોપશમ જ્ઞાનથી એમ નક્કી થયું કે એક બાજુ જ્ઞાનધારા છે અને બીજી બાજુ કર્મધારા છે, પણ જે જ્ઞાનધારા હંમેશા સ્થિર છે, અચલ છે, તેમાં ઉદય વખતે જરા પણ ' ફેરફાર થતો નથી. એવો આપણો નિશ્ચય કે અનુભવ તેને મહાત્માઓએ સ્થિરતા અથવા નિર્વિકલ્પ અનુભવ કહેલ છે. એક વખત આપણો પુરુષાર્થ એવો હતો કે ઉદયથી રહિત આપણું , જ્ઞાન સ્વરૂપ છે એ નક્કી કરવું હતું અને નક્કી થઈ ગયા પછી આપણે જ એ નક્કી કરવાનું રહ્યું જે ઉદય અથવા કર્મધારામાં ફેરફાર થયા જ છે. ' કરે છે અને કર્મધારાના ફેરફાર વખતે આપણી જ્ઞાનધારા અથવા ! સ્વરૂપ એમ ને એમ નિશ્ચલ રહે છે. ગમે તેવા ઉદય વખતે આપણું જ જાણપણું, પ્રકાશપણું અથવા જ્ઞાનગુણ કે પ્રકાશગુણ જરા પણ બદલાતા | જ નથી. આવો આપણો નિશ્ચય કે અનુભવ એ સ્થિરતા છે. અને આને જ ત્રીજા પ્રકારનું સમકિત એટલે નિર્વિકલ્પતા કહેવામાં આવે છે. બીજી બાજુ વિચારીએ કે આત્માના કેવળ જ્ઞાનસ્વરૂપ અથવા * પ્રકાશ સ્વરૂપ ઉપર ઇન્દ્રિઓ દ્વારા બહારનું જગત દેખાય છે અને આ અંતર દર્શન કરતા અંદરનું જગત દેખાય છે. એ બુદ્ધિથી આપણે દેહ નહીં પણ આત્મા ઠર્યા. એ પુરુષાર્થ પછી આપણે એ જ જોવાનું રહ્યું : કે અંદરમાં ઉઠતા સર્વ ભાવોમાં આપણે જ જ્ઞાન સ્વરૂપ છીએ અને તે જ જ્ઞાન સ્વરૂપ સર્વ ભાવોથી હંમેશાં અસંગ છે, અચલ છે, સ્થિર છે, . ફેરફાર વગરનું છે. કૃપાળુદેવ કહે છે કે “આત્માનું સ્વરૂપ અન્યથા જ થતું નથી એજ અદ્ભુત આશ્ચર્ય છે.” ઉદય વખતે મૂંઝવણ અને આકુળ-વ્યાકુળપણું એ જ જ્ઞાનની કે બુદ્ધિની અસ્થિરતા. ઉદય વખતે જરા પણ મૂંઝવણ નહીં તે જ્ઞાનની – બુદ્ધિની સ્થિરતા. જેને એ છે સ્થિરતા પ્રાપ્ત થઈ છે તે સ્થિતપ્રજ્ઞ અથવા અપ્રમત્ત કહેવાય. ( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા) ૩૧૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy