________________
થયો. મુંબઈ મૂક્યાં એક પખવાડિયું થયું. મુંબઈનો એક વર્ષનો નિવાસ ઉપાધિગ્રાહ્ય રહ્યો. સમાધિરૂપ એક આપનો સમાગમ્, તેનો જેવો જોઈએ તેવો લાભ પ્રાપ્ત ન થયો.
જ્ઞાનીઓએ કલ્પેલો ખરેખરો આ કળિકાળ જ છે. જનસમુદાયની વૃત્તિઓ વિષયકષાયાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. રાજસીવૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. તાત્પર્ય વિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમપાત્રની છાયા પણ મળતી નથી. એવા વિષમકાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી. કહેવાનાં પાત્રોની પણ ખામી છે. ત્યાં હવે શું કરવું ? જોકે યથાયોગ્ય ઉપશમભાવને પામેલો આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે. એટલે અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે; પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેનો અભ્યાસ છે. ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે ? O પત્ર ક્ર્માંક ૧૩૨ : સૌ. G
- 4ાળમષિ સપ્નનસંગતિવા, મતિ મવાળવત્તરને નૌહા !”
ક્ષણ વા૨નો પણ સત્પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે.
આપે મારા સમાગમથી આનંદ અને વિયોગથી આનાનંદ દર્શાવ્યો, તેમ જ આપના સમાગમ માટે મને પણ થયું છે.
અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું; અને અનેકને ૫૨માર્થ સાધ્ય ક૨વામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે.
ભવિષ્યજ્ઞાનની જેમાં અવશ્ય છે, તે વાત પર હમણાં લક્ષ રહ્યું
નથી.
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
૧૫
www.jainelibrary.org