________________
પ્રથમના પોસ્ટકાર્ડમાં આપ લખો છો કે તમે જે પુરુષને સગુરુદેવ માન્યા છે તે પુરુષને હું પણ સદ્ગુરુદેવ માનું છું, અને તે સત્સમાગમ પૂજ્ય શ્રી વનેચંદભાઈના પ્રતાપે થયો હતો તેમ જણાવો છો, તો લખવાનું કે તે સત્સમાગમ પરમકૃપાળુદેવનો આપને થયેલ છે કે હાલ છે વિચરતા મહાપુરુષ પૂજ્ય શ્રી લઘુરાજજી મહારાજના સમાગમને માટે આપે લખેલ છે તેનો ખુલાસો લખશો.
બીજું અમને તો પરમકૃપાળુદેવના દર્શન પણ થયા નથી, ફક્ત છે તેમની કૃપાથી આપ જેવા સંતોના સમાગમની ઇચ્છા ઉત્પન્ન થઈ છે. બીજું આપ લખો છો કે સંસારદુઃખ નિવારણનો માર્ગ પરમ કૃપાળુદેવની પરમ કૃપાથી પામ્યા છો તો જે થોડું ઝાઝું અમે કે તમે જે કંઈ પામીએ
તે તેમની પરમકૃપાથી જ પમાય છે, અને તે લખવું સત્ય છે, પણ છે. યોગ્યતા વિના એકલા બીજ જ્ઞાન સંબંધી વાત જાણવાથી કેટલાક
જીવોને લાભ થતો નથી. તેના પુરાવા માટે આવૃત્તિ બીજી પૃષ્ઠ ૨૦૩ આંખ ૧૬૪ સંપૂર્ણ રીતે વાંચી વિચારશો તો ખાત્રી થશે. બીજો લેખ પાને ૨૨૮ આંક ૨૪૪નો પત્ર તે પણ આપને વાંચી વિચાર કરવા જેવો છે. વિશેષમાં હવે તે પીવાની રીત તો પ્રથમ લખાઈ ગઈ છે તે મુજબ છે, અને અભ્યાસ શરૂ કરવો હોય તો તેથી કોઈ પ્રકારે છે નુકસાન નથી છતાં તેટલું તો ખાસ ધ્યાન રાખવાનું છે કે તે વિષેનો વિશેષ નિરધાર જ્ઞાની પુરુષની આજ્ઞાએ થાય તો જરૂર ફળદાયક નીવડે છે. કારણ કે કૃપાળુદેવ કહે છે કે : “બીન સદ્ગુરુ કોઈ ન ભેદ લહે, મુખ આગળ હૈ કહ બાત કહે.”
તથા છે “પાવે નહીં ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત.”
વિગેરે શબ્દો બહુ ગંભીર છે અને વિચાર કરવા જેવા છે, તેમ જ તે ગુરુગમ આપી શકવાને હજુ અમો પણ યોગ્ય નથી. અમે તો, જેમ છેઆપ તેના પ્યાસી છો, તેમ જ અમે પણ તેના અભ્યાસી છીએ, અને
બીજાને પ્રાપ્ત કરાવવું તે તો સંપૂર્ણ દશાવાળાનું કામ છે. જેના માટે
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org