________________
આ દુહો શા માટે કીધો હશે તે વિચારશો. બીજા પ્રશ્નના જવાબમાં :
જ્ઞાનીઓ સમજી સમજીને લૌકીક વર્તન રાખતા નથી. પણ સંપૂર્ણ દશા ન હોય ત્યાં સુધી વર્તનમાં લૌકીક દશા પણ સંભવે છે અને લૌકીક દશા થવા રૂપ ઉદય હોય ત્યાં સુધી અમો જ્ઞાની છીએ તેવું પ્રગટ થવામાં જ્ઞાની પુરુષો ખુશી હોતા નથી, તેમ પ્રગટ થવાની ઇચ્છાને બહુ જ ગુપ્ત કરી રાખે છે, તે વાત સાચી છે.
કાંઈ પણ ઉઘાડ કે જાણપણું થયું હોય, તેનો દેખાવ બહાર આવે કે અંતરમાં પડ્યું રહે ?
તેના જવાબમાં પોતાને ઉઘાડ કે જાણપણું થયું હોય તેટલી દશા જ જરૂર ફરે અને જેટલી અંતરમાં દશા ફરે તેટલું જ જાણપણું થયું
ગણાય. પણ તેવો ગુણ પ્રગટ થયો હોય તે ગુણને આપણે અમુક ! 1 વખતના સમાગમથી નિર્ણય કરી શકીએ, તેવી મુમુક્ષતા હજુ આપણામાં ! હોતી નથી, તેમ જ ગુણગ્રાહીપણું બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે,
અને હોતું પણ નથી, અને અવગુણ ગ્રાહીપણાનો જીવને રાહ એકદમ જ વિશેષ હોવાથી તે ગુણ ઉપર આપણો લક્ષ ચોંટતો નથી. તેમ જ જ્ઞાની
કે અજ્ઞાનીની વાણીની પરીક્ષા સંપૂર્ણ મુમુક્ષુતા વિના આવતી નથી. તેથી કદાચ કોઈ ગુણ પ્રગટ થયો હોય તે જુજ વખતમાં આપણી પ્રથમ લૌકીક દૃષ્ટિએ નિર્ણય કરવાની બુદ્ધિ હોવાથી તે ગુણ લક્ષમાં જ
આવતો નથી. એટલા માટે કૃપાળુદેવ આત્મસિદ્ધિના દોહરા ૧૧૦માં * લખે છે કે :
મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ,
લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ.” પ્રથમ આ એક જ ભવનો વિમો વેઠી લેવો તે બાબત લખાઈ ગએલ છે. તેના માટે પણ આત્મસિદ્ધિનો દોહરો ૧૭માં લખેલ છે. સ્વછંદ કહ્યો તેમાં આપણી મન કલ્પના, જ્ઞાની છે કે નહીં તેવી ,
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૨૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org