________________
જોઈ કે સમજી શકતા નથી. દાખલા તરીકે હાલના જમાનામાં કૃપાળુદેવની આપ્યંતર દશા અદ્ભુત હતી. છતાં તેમના વર્તમાનપણામાં લોકો પરીક્ષા કરવામાં રોકાઈ રહ્યાં. પણ તેઓ સાક્ષાત્ જ્ઞાનીપુરુષ રૂપ પરમાત્મા છે, તેમના એક જ વચનમાં આપણા અનંતા ભવોનો નાશ થશે, તેવી અચળ શ્રદ્ધાથી આજ્ઞાંકીતપણું (કોઈકે જ) ધારણ કર્યું હશે, નહીંતર બધા આ ઉપરનો નિર્ણય કરવામાં જ રોકાઈ જાય છે. ખરા મુમુક્ષુ પુરુષનો એ જ નિશ્ચય હોય છે કે અનંતા ભવ અલેખે કાઢ્યા છે, તેમ જ આ એક ભવ ભલે વધારે તે ભેગો થાય, પણ આ વખતે તે પુરુષ કહે તેમ જ કરવું છે. તેમના વર્તન ઉપર કાંઈ લક્ષ આપવો નથી, પણ તેમના પરીક્ષક નહીં, પણ તે જ્ઞાની પુરુષના આપણે હાલ તો વિદ્યાર્થી બનવું છે. આવો અચળ નિશ્ચય આવ્યેથી તે જ્ઞાની પુરુષની ભક્તિ થઈ શકે છે. અને તે ભક્તિ પ્રભાવે જીવના દોષ ઘટે છે, જીવના દોષ ઘટવાથી જ્ઞાની પુરુષના વચનનું અદ્ભુતપણું સમજાય છે. જેમ જેમ તેમના વચનબળે જીવના દોષ ઘટે છે, તેમ તેમ જ્ઞાનીપુરુષની આવ્યંતર દશા સમજાય છે. સાર્વજનિક રીતે જ્ઞાની પુરુષને ઓળખવાનો સહેલો રસ્તો તો આ છે. વહેવારિક કામોમાં પણ અમુક અમુક વીમા ૨હેલા છે તો આ સંબંધમાં આ એક જ ભવનો વીમો છે. કાં તો છેડો આવે છે અને કાં તો અનંતા ભવ ગયા તે ભેગો આ એક વધારે, તેમ ગણી પોતાનું તમામ ડહાપણ મૂકી તેમના વચનમાં જ પોતાનું હિત છે, એમ ગણી આ એક ભવનો યાહોમ કરી શકાય, તો જ કાંઈક ઓળખાણ થઈ શકે છે. પરીક્ષાપણામાં તો અનંતા ભવ કાઢ્યા તો પણ કોઈ જ્ઞાનીપુરુષ આપણી પરીક્ષામાં પાસ થઈ શક્યા નથી અને થઈ શકવાના નથી, પણ તે લક્ષ ત્યાગવા જેવો છે. જેવી રીતે આપણે જ્ઞાનીની પરીક્ષા કરીએ છીએ તેવી રીતે જ્ઞાનીઓ પણ આપણી પરીક્ષા કરે છે ને તેમની પરીક્ષામાં પાસ થવાનો સહેલો રસ્તો તો તેમની આજ્ઞાનું આરાધનપણું તે જ છે. કૃપાળુદેવ પણ લખે છે કે
:
૨૧૦
“સ્વચ્છંદ મત. આગ્રહ તજી વર્તે સદ્ગુરુ લક્ષ, સમકિત તેણે ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ.”
Jain Education International
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
www.jainelibrary.org