________________
સંબંધે કોઈ પણ વાત કોઈના પ્રત્યે જણાવશો નહીં, કારણ કે અમો તે જ દશામાં હોઈએ નહીં તેથી સામા જીવને ઉપકાર થઈ શકે નહીં અને ઊલટું માર્ગથી બીજા જીવને વિમુખપણું પ્રાપ્ત થાય. એ જ.
દઃ આજ્ઞાંકીત સેવક વૃજલાલ દેવજીનું પાયલાગણું વાંચશો
0 પત્ર નં. ૨ . 3ૐ શ્રી સદ્ગુરુદવને નમસ્કાર.
સં. ૧૯૮૪ના અષાડ વદ ૩ ગુરુવાર. સત્સંગ યોગ્ય વિરચંદ ભુરાભાઈ, મુ. બોટાદ.
સાયલેથી લી. દોશી કાળીદાસ માવજીના દંડવત્ પ્રણામ વાંચશો. આપનો પત્ર મળ્યો વાંચી હકીકત જાણી. આપ લખો છો કે દુનિયા,
વર્તન ઉપરથી પ્રતિત કરે છે. તેમ જ જ્ઞાનીઓ સમજીને લૌકીક વર્તન ન રાખતા હશે કે શું?
તેના જવાબમાં જાણશો કે દુનિયા વર્તન ઉપરથી પ્રતિત કરે છે, તેથી કરીને જ જ્ઞાનીથી વિમુખપણું આજ સુધી રહ્યા કર્યું છે. તેમજ દુનિયાને પ્રતિતી આવે તેવું વર્તન થાય તો જ જગતના જીવોને ઉપકારી થશે, તેમ ધારી શ્રી વર્ધમાન સ્વામી જેવાએ ગૃહસ્થાશ્રમ ત્યાગ કરી અસંગપણે અખંડ ઉપયોગી થઈ, જગતના પ્રભાવક પુરુષ બન્યા, પણ તેવું કોઈ જીવ આશ્રી બને છે. શ્રી વર્ધમાન સ્વામીના વર્તમાનપણામાં તેમના સાથે વિચરતા બીજા કેવળી જીવ ઘણા હતા. પણ શ્રી વર્ધમાન
સ્વામીના જેવો તે જીવોથી ઉપકાર બની શક્યો નથી તેનું શું કારણ | હશે, તે વિચારશો. તેમજ સંપૂર્ણ દશા ન હોય, ત્યાં સુધી વર્તનમાં કાંઈ છે.
ને કાંઈ જ્ઞાનીઓને પણ દૂષણ હોવાનો સંભવ છે, અને જગતના જીવો ! પાકા પરીક્ષક તરીકે હોઈ, સંપૂર્ણ જ્ઞાનીની દશા સાથે સરખામણી કરતા હોવાથી તે મહતુ પુરુષનાં આત્યંતર માહાભ્યને (મહાતમને)
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org