________________
કહેવાય, તેની શું શું ક્રિયા છે, કેવા પ્રકારે થાય છે, તે સમજવું તેનું નામ જ્ઞાન છે. હવે આપને સમજવા માટે સ્થૂળ દેહ તો તમે સમજી શકો છો. પણ તેજસ અને કારમણ શરીર કોને કહેવા તે મારી બુદ્ધિ અનુસાર મહાપુરુષો કહે છે તેમ કહું છું.
શરીરમાં પાચન ક્રિયા થવી તે. શરીરની કાન્તિ જણાય તે. શરીરમાં ગ૨મી રહ્યા કરે છે તે તેજસ શરીરની ક્રિયા છે.
કારમણ શરીર છે તે નવા કર્મના પુદ્દગલોને ગ્રહણ કરે છે. પાંચ ઇન્દ્રિયો દ્વારા પાંચ ઇન્દ્રિયના વિષયને સ્થૂળ દેહ ભોગવે અને અજ્ઞાનપણું હોવાથી એટલે પોતાના સ્વરૂપનું ભાન નહિ હોવાથી, તેમાં (૨તીઅરતી) એટલે સારા-નઠારાપણું એવો ઉત્પન્ન થતો ભાવ છે. તે થવાથી કાર્યણ શરીર કર્મ પુદ્ગલને ગ્રહણ કરે છે. આવા ત્રણ પ્રકારના દેહ છે. તેની ક્રિયાથી આત્મા જુદો છે, ને તે સ્વઉપયોગી છે અને અવિનાશી છે એમ જે જાણ્યું તેનું નામ શાન કહ્યું છે,
“જે જ્ઞાને કરીને જાણીયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતિત., મૂ.મા. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત.” મૂ.મા.
હવે ઉપર કહ્યા તે બધા પ્રકારની પુદ્ગલીક ક્રિયા, જે હું કરું છું તે ક્રિયા મારી છે એવા પ્રકારની અજ્ઞાન દશા, તે સદ્ગુરુનો યોગ પામી નિવૃત કરીને જે સ્વ-સ્વરૂપ તેનાથી જુદું છે, તેમ જે જ્ઞાને કરીને જાણ્યું તે જ્ઞાન, સ્વભાવથી શુદ્ધપણે પ્રતિતી થાય કે પરભાવ એટલે પુદ્ગલીક ભાવથી રહીત જે ક્રિયા તેને જાણનાર માટે જ્ઞાયક સ્વભાવ તે ક્રિયાનો સાક્ષીરૂપ અચળ પદાર્થ છે. તે આત્માની શુદ્ધ પ્રતિતી આવે તેને ભગવંતે દર્શન અથવા સમકિત કહ્યું છે.
પ્રથમ પદમાં શાન કહ્યું, બીજા પદમાં દર્શન કહ્યું હવે ત્રીજા પદમાં ચારિત્ર કહે છે.
“જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂ.મા. તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ... મૂ.મા.
૨૨૮
Jain Education International
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
www.jainelibrary.org