________________
પાનું ૧૧૦ કાગળ ૯૪મો વાંચી વિચારશો. તમો રૂપી દર્શનને સાક્ષાત્કાર કહેતા નથી તો હવે અરૂપી વસ્તુનો સાક્ષાત્કાર કેવા પ્રકારે થતો હશે
તે બહુ સમજવા જેવી બાબત છે. તેમ જ અમારું કહેવું એવું પણ નથી છે કે અરૂપી વસ્તુનો સાક્ષાત્કાર થતો નથી, તેમ આનો અર્થ કરવાનો
નથી. પણ ભાઈશ્રી, સ્વરૂપ સ્થિતિ ચોથા ગુણસ્થાનકેથી શરૂ થાય છે. પછી ઓછી વધુ થાય છે તે સમજવા માટે ગુણસ્થાનક કહ્યાં છે. પણ આ બાબતનો નિર્ણય આપણી મતિ કલ્પનાથી યથાર્થ થતો નથી. હવે ચોથે ગુણસ્થાનકે સમકિતની ફરસના થાય, ત્યાંથી માંડીને તેરમાં ગુણસ્થાનક સુધી પ્રતિતી તો સરખી જ છે. પ્રતિતીમાં ફેર નથી. સ્થિતિમાં ફેર છે. સ્થિતિ વધુ ઓછી હોય છે. હવે આ ચોથે ગુણસ્થાનકે જે પ્રતિતી થાય તેને સાક્ષાત્કાર કહેતા હો તો તે સાક્ષાત્કાર લલ્લુજી મહારાજને પણ હોઈ શકે. અમે તો અમારી મતિ અનુસાર જવાબ
લખેલ છે. ભૂલ લાગે ત્યાં સુધારીને વાંચશો. લખ્યું છે એમ જ છે એવો છે અમે દાવો કરતા નથી, એજ .
આ પત્ર નં. ૩ ૪ મહતુ પુરુષોને ભક્તિપૂર્વક નમસ્કાર
- સાયલા, તા. ૯-૧૦-૧૯૨૮ છેપૂજ્ય મહાત્માશ્રીની સેવામાં, સત્યાગ્રહ આશ્રમ
સાયલેથી લી. સેવક કાળીદાસ માવજીના દંડવત્ પ્રણામ સ્વીકારશો. વિશેષ: નવજીવનમાં “અહિંસાનું કોકડું” એ હેડીંગવાળું આપનું લખાણ છેવાંચતાં અહિંસા બાબત અમોને નીચે મુજબ શંકા ઉત્પન્ન થાય છે, તો તે તેનો ખુલાશો આપવા કૃપા કરશો.
(૧) કોઈપણ દુઃખી પ્રાણીને દેહરહિત કરવાથી કોઈ પણ ન્યાયે છે અહિંસા છે? તેવું કોઈ હિન્દુ શાસ્ત્રમાં આપે જોયું છે ? . (૨) અત્યંત વ્યાધીથી પીડાતા દેહમાં રહેલા વાછડાને દેહરહિત
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org