________________
ટાંગો પકડીને મારી પાસે લાવજે.” કાળીદાસભાઈ વિચક્ષણ બુદ્ધિવાળા હોવાથી એ વાત ઉપર દિવસ આખો વિચાર કરીને, સાંજના એમની દુકાન વધાવીને ચાવી કેડે ખોસી સીધા શામળભાઈને ઘરે ગયા. તે વખતે શામળભાઈ હિંડોળા ઉપર હિંચકતા હતા. ત્યાં જઇને તેમના બન્ને પગ પકડીને બેસી ગયા, ત્યારે શામળભાઈએ પૂછ્યું “એ કાળીઆ આ શું કરે છે ?” કાળીદાસભાઈએ તરત જ જવાબ આપ્યો કે આજે બપોરે આપે કહેલું કે કોઈ સત્પુરુષ મળે તો ટાંગો પકડીને લાવજે, તેથી આ ટાંગો પકડીને આપણી પાસે લાવ્યો છું.
શામળભાઈએ ત્યાર પછી કાળીદાસભાઈને આ માર્ગમાં ખૂબ જ તૈયાર કર્યા. પછી પરિપૂર્ણ લાયકાત કાળીદાસભાઈમાં જણાવાથી તેમને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી.
૨૦૨
→•
શ્રી કાળીદાસભાઈ માવજીભાઈ દોશી
કાળીદાસભાઈનો જન્મ ચોરવીરા (તાબે. બોટાદ) ગામમાં આશરે સંવત ૧૯૫૩માં થયો હતો. તેમની આશરે ૭ વર્ષની વયે તેઓ તેમના માતાપિતાના સુખથી વંચિત થયા હતા. તેમને બે બહેનો હતી. મોટા જીવીબેનના લગ્ન સાયલામાં મલુકચંદ શેઠની સાથે થયા હતા અને બીજા મોંઘીબેનના લગ્ન ચોરવીરામાં જ લહેરાભાઈને ત્યાં થયા હતા. આ બંને બહેનો તેઓના માતાપિતાના સ્વર્ગવાસ થયા બાદ કાળીદાસભાઈને તેમના મોટા બહેન જીવીબેનને ઘરે, સાયલા, તેડી લાવ્યા.
Jain Education International
પ્રકરણ-3
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
www.jainelibrary.org