SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તે જ્ઞાનીપુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ-પરમાર્થસ્વરૂપ છે. તે જ પત્રમાં તે જ્ઞાન વિષે ચાર ભાંગા પાડીને કૃપાળુદેવે અપૂર્વ સમજણ પ્રાપ્ત થાય તે રીતે સમજાવ્યું છે. તે ચાર ભાંગામાંનો પહેલો ભાંગો ઉપર દર્શાવેલ છે (કૃપાળુદેવના શબ્દમાં). અને અમો નિશ્ચયથી દૃઢતાપૂર્વક કહી શકીએ છીએ કે તે જ્ઞાન અને તેવા જ્ઞાનીપુરુષો આ કાળમાં છે તેવો અમારો અનુભવ છે. તે જ્ઞાન સંબંધી શ્રીમદ્જીએ તેમના સૌભાગ્યભાઈ ઉપરના મુંબઈ શ્રાવણ વદી ૦)) ગુરુવાર સં. ૧૯૫૦ના પત્ર નં. ૫૨૦ના ત્રીજા પેરામાં જે જણાવ્યું છે તે નીચે મુજબ છે : જે મુખરસ સંબંધીના જ્ઞાન વિષે ‘સમયસાર’ ગ્રંથના કવિતાદિમાં તમે અર્થ ધારો છો તે તેમ જ છે, એમ સર્વત્ર છે, એમ કહેવા યોગ્ય નથી. બનારસીદાસે ‘સમયસાર’ ગ્રંથ હિન્દી ભાષામાં કરતાં કેટલાક કવિત, સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે; અને તે કોઈ રીતે ‘બીજજ્ઞાન’ને લગતી જણાય છે. સદર પત્રમાં સૌભાગ્યભાઈએ કૃપાળુદેવને પૂછેલા પ્રશ્નના જવાબમાં કૃપાળુદેવે તેઓશ્રીના પત્ર નં. ૫૨૦માં બનારસીદાસના “સમયસાર”માં બીજજ્ઞાન વિષે કેટલીક સમજણ આપેલ છે તે પત્ર વાંચકવર્ગે ફરીફરી વાંચવા, વિચારવા, સમજવા યોગ્ય છે. કૃપાળુદેવે સૌભાગ્યભાઈને તેમના પત્ર નં. ૫૮૫માં સુધારસ (બીજજ્ઞાન) વિષે ત્રીજા પેરામાં નીચે મુજબ લખેલ છે : નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધા૨સ, સન્સમાગમ, સત્શાસ્ત્ર, સદ્વિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે. શ્રીકૃપાળુદેવને જે બીજજ્ઞાન શ્રી સોભાગ્યભાઈ પાસેથી સ્મૃત થયેલું તે જ્ઞાન મુની લલ્લુજી તથા મુમુક્ષુ અંબાલાલભાઈને ખૂબ જ તાવીને શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા Jain Education International For Personal & Private Use Only ૧૯૭ www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy