________________
* દ્વેષ રૂપે પરિણમે છે. આવી રીતે અજ્ઞાનથી સંસાર ઉભો જ રહે છે. તે છે પછી ભલે સારી ગતિ થાય કે ખરાબ ગતિ થાય. પણ જન્મ મરણનો ફેરો મટે નહી. દા. ત. મનુષ્યદેહે શરીર એ વેદનાની મૂર્તિ છે. તેમાં શાતાવેદની અગર અશાતાવેદનીનો ઉદય હોય જ. વેદનીની સાથે મોહિનીનો ઉદય અજ્ઞાનપણે હોય જ. શુભકર્મના ઉદયે જીવમાં રાગહેષ પરિણામ થાય. અને અશુભ કર્મના ઉદયે પણ રાગ-દ્વેષ પરિણામ જ થાય જ. જીવ આ બંને પ્રકારનાં ઉદયમાં જાગૃત રહી, પોતે જ્ઞાનસ્વરૂપ |
છે, કારણ જીવ દ્રવ્યમાં જ્ઞાન ગુણ અને ઉપયોગ લક્ષણ રહ્યું છે. અને 4 કર્મનાં સારા: નરસા ઉદયમાં તે ગુણ લક્ષણ નથી. એવી જાગૃતિ 4 રાખી, પોતે શાતા- અશાતા અથવા સર્વે કર્મદશાથી ભિન્ન છે, એવી પરિણામધારા કેળવે તો અત્રે જ પોતાનું મુક્તપણું અનુભવે.
પછી તો જીવ પોતાના જ્ઞાનમય સ્વભાવને સુખરૂપ માને અને કર્મનાં ઉદયમાં આકુળતાવાળા ભાવોને (શુભ-અશુભ) દુ:ખ રૂ૫ માને છે તો જ્ઞાન અને વૈરાગ્ય બંને શક્તિઓ સાથે વિકસતી જાય છે. અને છે
દશા થયે તો એકલી ચેતના જ અનુભવાય છે. ચેતના સિવાય બીજું જે જ કાંઈ છે. તે સંયોગમાં જીવથી જુદુ ને જુદુ જ રહેલું છે. મતલબ, જ
જાગૃતિ રાખી કર્મના ઉદયમાં થતું અહમ્પણું અને મમત્વપણું જ મટાડવાનું છે. જેટલી વૈરાગ્ય શક્તિ વધારે તેટલી જ્ઞાન શક્તિનો વધારે ઉઘાડ થાય છે.
મતબલ પુણ્ય પાપનો ધંધો ઉધારીઓ છે. આ તો રોકડીઓ નફો છે. જેમ જેમ જ્ઞાનદશા વધશે તેમ તેમ સંસારનાં કર્મો સાવ નિરસ જેવા લાગશે. અને જે જીવને સંસારનાં પરિણામ અને કાર્યોમાં નિરસતા જણાતી હોય અને પોતાની ચેતનામય રમણતા સારભૂત લાગતી હોય, કે તેના સંસાર સંબંધી કાર્યો સાવ લુખા હોવાથી કર્મબંધ થતો નથી.
જ્ઞાન-જાણવા રૂપ શક્તિ
(4) શેય-હંમેશા પોતાની મેળે કોઈની સહાય વિના જાણનારી જ શક્તિ . છેશાતા - અનંત શક્તિએ બિરાજમાન વસ્તુ માત્ર.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
356
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org