________________
જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાયરહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! તે ' મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને ! નમસ્કાર હો ! નમસ્કાર હો !
પત્ર ક્રમાંક ૬૭૭: કું+આ. શ્વ આત્માને વાસ્તવ્યપણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે, તથાપિ બે ' કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષો વર્તે છે : (૧) તે ઉપદેશ છે. જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયોગોને વિષે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યું પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ યોગ્યપણું ન હોય, તો જ્ઞાની પુરુષ તે * જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપ પણે પણ વર્તે છે; (૨) અથવા પોતાને જ
બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને છે 1 પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી | છે. મુખ્ય માર્ગને વિરોધરૂપ કે સંશયના હેતરૂપ થવાનું કારણ બનતું હોય છે તો પણ જ્ઞાની પુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે.
સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી, કેમકે જ્યાં સુધી અંતરપરિણતિ પર દૃષ્ટિ ન થાય અને 1 તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર |
થાય છે; અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ પર દૃષ્ટિ દેવાનું - ભાન જીવને આવવું કઠણ છે.
વધારે શું લખીએ ? જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌક્કિ અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે. એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જ જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાતદિવસ તે જ
મોક્ષમાર્ગ પ્રકાશ
૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org