________________
તેઓશ્રીને યોગ્ય નહિ લાગવાથી તેમાંથી પણ નિવૃત્ત થયા.
આ પ્રમાણે તેઓશ્રીના વ્યવહારીક જીવનની ટુંકી રૂપરેખા આપેલ છે. તેઓશ્રીનું આધ્યાત્મીક જીવન વધારે ધ્યાન ખેંચે છે, અને તેઓને આ ક્ષેત્રેથી પરમસત્સંગનો મોટામાં મોટો લાભ મળ્યો, જે ટુંકમાં નીચે પ્રમાણે છે :
(૧) બાળવયથી ભજનોમાં, રામાયણ અને મહાભારતની થાઓમાં તેમ જ સાધુ-સાધ્વીજી પાસે, દેરાસરમાં, તથા સાધુ સંતોમાં તેઓશ્રીની રૂચી રહેતી.
(૨) તેઓશ્રીનાં પિતાશ્રીએ તેમને મુંબઈથી બોલાવી લીધા પછી સાયલા દરબાર ઠાકોર સાહેબશ્રી મદારસીંહજીની નોકરીમાં ફરજ બજાવીને બાકીનો ફાજલ સમય રહે તે સત્સંગમાં વ્યતિત કરતા.
(૩) તે અરસામાં સાયલામાં આધ્યાત્મીક દૃષ્ટિવાળા શ્રી સોભાગભાઈના વંશવારસદાર શામળદાસભાઈ અને તેઓશ્રીના હયાત વારસદાર (૧) કાળીદાસ માવજીભાઈ દોશી, (૨) વૃજલાલ દેવજી બેલાણી, (૩) છોટાલાલ મગનલાલ દેસાઈ, (૪) ચંદુભાઈ ઘડીઆળી, (૫) રતીભાઈ ખારા, (૬) ચંદ્રસીંહજી જાડેજા દરબાર, (૭) હિંમતલાલ દેવજી બેલાણી, (૮) કસ્તુરભાઈ ગાંધી, (૯) હિંમતલાલ શાહ, (૧૦) પરસોત્તમ દોશી, વગેરે આધ્યાત્મીક દૃષ્ટિએ પુરેપુરા ઊંડા ઉતરેલા અને તેમાંથી ત્રણ-ચારની પ્રગટ દશા પણ થએલી. આવા પુરુષોનો રોજનો સત્સંગ પૂ. શ્રીને મળવા લાગ્યો. આ સત્સંગ ૨૩ વર્ષની વયથી ૩૨ વર્ષની વય સુધી સતત્ આત્મજ્ઞાનની ઝરણા સાથે કરતા રહ્યા.
(૪) પૂજ્યશ્રીએ આધ્યાત્મીક દૃષ્ટિએ ૧૦ વર્ષ સુધી આનંદઘનજી, ચિદાનંદજી, યશોવિજયજી, દેવચંદ્રજી, મોહનવિજયજી, બનારસીદાસ, કબીરજી, છોટમ, પ્રિતમ, નિરાંત કોળી આદિ સત્પુરુષોના પદોનો, ભજનોનો, તથા ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. પરમકૃપાળુદેવના વચનામૃતનો પણ ઊંડો અભ્યાસ કર્યો. એ બધા સત્પુરુષો જે કંઈ કહી ગયા છે. જે કાંઈ લખી ગયા છે અને જે કંઈ મુકી ગયા છે
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org