________________
અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સત્કૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ કે તે સત્પરુષોનો સમાગમ ક્વચિત્ ક્વચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો ! ' જીવ સદુદ્દષ્ટિવાન હોય તો સત્કૃતના ઘણા કાળના સેવનથી થતો ? લાભ પ્રત્યક્ષ સપુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે
છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન જ અને વૃત્તિ કિયાચેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય ?
એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સદ્ભૂતનો પરિચય છે અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે છે એવાં શાસ્ત્રનો પરિચય તે સદ્ભુતનો પરિચય છે.
) પત્ર ક્રમાંક ૮૩૨ ૪ તે દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, છે તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતમુર્ણ થઈ, સ્થિર થઈ, તે 1 આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. * સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે
છે, મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખેમાને છે; પણ અહો ! જ્ઞાનીઓએ ! તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણાત કર્યો કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.
વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ?
પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે ? કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.” હે આર્યજનો ! આ પરમ વાકયનો આત્માપણે તમે અનુભવ કરો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org