________________
બીજું લખવાનું કે તમારું લખવું વારંવાર એમ થયા કરે છે કે કાંઈક જણાવો, તો જણાવવામાં આપનું ધારવું શું છે? તે કાંઈ સમજાતું નથી અમારી જણાવવાની શું શક્તિ છે અને તેનું અનુમાન આપે શા ઉપરથી કર્યું છે ? સ્વરૂપ પ્રાપ્તિ કરાવો તેવું પ્રથમ આપનું લખાણ હતું. સ્વરૂપ પ્રાપ્તિ પામેલો માણસ બીજાને પ્રાપ્તિ કરાવી શકે તે વાસ્તવિક રીતે સૌ સમજે તેમ છે, છતાં તમો અમને લખો છો કે તમે તે પ્રાપ્તિ કરાવો, તો અમે તે પ્રાપ્તિ કરાવવાને લાયક નથી કારણ કે અમે પણ હજુ તે દશાને પામ્યા નથી. છતાં આપને એમ ભાસતું હોય તો તે કયા પ્રકારના લક્ષણથી ભાસે છે તે જણાવશો. તેમજ હું તો નહિ પણ મણીબેનને માટે પણ હું તો લખું છું કે તેઓ પણ હજી
સંપૂર્ણ રીતે તે દશાને પામ્યા નથી. છતાં તમને તે વહેમ શાથી ભરાણો જ છે છે તે જણાવશો. હજુ સાક્ષાત્કાર તો તમારા કાયમના સત્સંગમા |
રહેનારા મોતીચંદભાઈને થયો છે તેમ પ્રથમથી જ આપનું કહેવું છે, તે જ છે ઉપરથી હું લખું છું કે તેમના સમાગમમાં જે લાભ મળી શકે તેવો, આ લાભ જેને સાક્ષાત્કાર થયો નથી તેવા માણસના સમાગમમાં મળી શકે નહીં. છતાં આપને તેમ ભાસતું હોય તો તે સંબંધમાં આપનું માનવું ભૂલભરેલું છે તે ચોક્કસ માનજો. અમે તો તમારા કરતા પણ વિશેષ પરિગ્રહના કચરામાં ખુંચેલા છીએ તે આપની દૃષ્ટિ બહારની વાત કાંઈ નથી. તેમ જ સત્પુરુષ જે કહેવાય તે માંહેનું અમારામાં કર્યું લક્ષણ તમે જુવો છો કે જેથી કરી આવા પ્રકારનું આપનું લખાણ થાય છે. જો તમે કહેતા હો તો એટલું જ છે કે જેવા તમે માર્ગના ઉત્સાહી ને અભ્યાસી છો તેવા અમો પણ છીએ. અમારા કરતા બીજા વિશેષ
મુમુક્ષુ પુરુષો હાલ ક્યાં થોડા છે, તે પણ આપના સમજવામાં છે અને | હતા. હું લખું છું કે આપને સમાગમ કરવા જેવા અગાસ, વડવા | ' વિગેરે સ્થળો છે. ત્યાં સર્વે મુમુક્ષુ પણ હોય છે. તો તમે તેમના !
સમાગમથી લાભ લો તો પણ મળી શકે તેમ છે કારણ કે અમે તો ઘણી પ્રવૃત્તિવાળા માણસ છીએ. પણ તેઓ કાયમ નિવૃત્તિના સેવનારા અને મહાન સપુરુષ લલ્લુજી મહારાજના ચરણ સમીપમાં રહી કાયમ પ્રભુભક્તિમાં જોડાયેલા હોય છે તો તેવાને છોડી અમારા સમાગમમાં
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org