________________
જ આવે છે. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને આ છે તેથી જ નિ:સંગતા ઉત્પન્ન હોય છે. (x .
અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે.
0 પત્ર ક્રમાંક ૨૫૫ : સૌ. As સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી, શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છો (!) પરમાનંદજી. એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત ન કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે અને ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે; એની ખબર છે રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી; અમે આ બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત, નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી; જાત-ભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા, સત્સંગી નહીં મળતા ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચ્છા નથી શબ્દાકિ વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી -અથવા ઈશ્વરેચ્છાથી તેની ઇચ્છા રહી નથી; પોતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે.
આદિ પુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની એક આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે; આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુવારી જેવી પ્રવહેવી જોઈએ તેવી પ્રવકતી નથી એમ જાણીએ છીએ.
મોક્ષમાર્ગ પ્રકાશ
૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org