________________
એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વ ભાવ, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજનિજ રૂપે સ્થિત થાય છે. ૨ જી પત્ર ક્રમાંક ૯૧૩: વનમાલીભાઈ, ગોધરા જ ઉપયોગ લક્ષણે સનાતનફૂરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબવદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ ? 4 પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે
ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા જ તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક જ
વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ 1 પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી
ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ તે જ ભાવના, તે જ ચિતવના છે અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની જ વારંવાર એ જ શિક્ષા છે.
0 પત્ર ક્રમાંક ૯૧૫ મુનિશ્રી % આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચ લબ્ધિનો ઉપયોગ ! પુદ્ગલ દ્રવ્યરૂપે કરે તો તેવું સામર્થ્ય તેમાં વર્તે છે, તથાપિ કૃતકૃત્ય છે એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વિતરાગ સ્વભાવ હોવાથી તે ઉપયોગનો
તેથી સંભવ નથી; અને ઉપદેશાદિના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યોગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણાથી છે, આત્માના સ્વભાવના કિંચિત પણ વિકૃતભાવથી નથી.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org