________________
) પત્ર ક્રમાંક ૯૧૮ પ્રશ્ન-વીતરાગની આજ્ઞાથી પોરસીની સ્વાધ્યાય કરે તો શો ગુણ છે થાય ? ઉત્તર-તથારૂપ હોય તો યાવતું મોક્ષ થાય.
0 પત્ર ક્રમાંક ૯૨૭: કું.મ., કલોલ 9 અજ્ઞાન દૃષ્ટિ જીવો ખેદથી વેદે તો પણ કંઈ તે વેદના ઘટતી નથી કે [ કે જાતી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે * વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની જ બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે.
હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય * શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ ૪ | કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી. એમ આત્માર્થીનું , અનુપ્રેક્ષણ હોય છે.
D પત્ર ક્રમાંક ૩૫ ઃ એ. 9 ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ છે એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું આ
ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો !
પત્ર ક્રમાંક ૯૩૬ જ ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે; એ જ આ મનુષ્યદેહ છે, કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુ:ખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે.
અચિંત્ય જેનું માહાભ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય છે
જ છે.
૧૨૨
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org