________________
તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી; તેમ શુદ્ધ નિર્મળ એવું આ જ 4 ચેતન અન્ય સંયોગના તાદાભ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ છે પામતું નથી. યત્કિંચિત્ પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગાદિ કહે છે. (હાથનોંધ-૧, પૃ. ૧૦)
(નેપથ્ય) એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લ્યો પછી બીજી જ વાત કરો.
ઠીક ત્યારે. દર્શન થયું, આનંદ પામ્યો; પણ પાછો ખેદ જન્મ્યો. (નેપથ્ય) હવે ખેદ કાં કરો છો ? મને દર્શન થયું તે શું સમ્યફ હતું ?
હા.' સમ્યફ હોય તો પછી ચક્રવર્યાદિક તે દુ:ખી કેમ દેખાય? દુ:ખી હોય તે દુ:ખી, અને સુખી હોય તે સુખી દેખાય.' ચક્રવર્તી તો દુઃખી નહીં હોય?
જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશેષ જોવું હોય તો ચાલો મારી ! જ સાથે”. છે. ચક્રવર્તીના અંત:કરણમાં પ્રવેશ કર્યો.
અંત:કરણ જોઈને પેલું દર્શન સમ્યક્ હતું એમ મેં માન્યું. તેનું અંત:કરણ બહુ દુઃખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડમાંસમાં તેની વૃત્તિ હતી. કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોઘ, માનનો તે ઉપાસક હતો. બહુ દુઃખ. (હાથનોંધ-૧, પૃ.૧૪) ૫ - ૪થી તે પદ જ સુખરૂપ છે, અને બાકીની જગતવ્યવસ્થા અમે જેમ
માનીએ છીએ તેમ માને છે. તે પદની અંતરંગની તેની અભિલાષા છે.
૧૬૨
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org