SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વોપાર્જીત મોહનીયને લીધે ચારિત્ર મોહ રહ્યા કરે છે. બળવાન ઉદય વખતે, ઉદય અસ્થિર છે, અનિત્ય છે, ક્ષણીક છે, અને આત્મા સ્થિર છે, નિત્ય છે તથા અવિનાશી છે, છતાં ચારિત્ર મોહને લીધે છે. આપણને એમ લાગે છે કે આપણો આત્મા ઉદય જેવો થઈ ગયો, આપણે કર્મદશા જેવા થઈ ગયા. આનું નામ ચારિત્ર મોહનો ઉદય અને સ્વરૂપમાં અંતરાય એટલે આપણી વિતરાગ દશા થવા ન દે. તે વખતે વિચાર કરી, જાગૃતિ રાખી આપણે ઉદય જેવા ન થઈ જઈએ એ જ આપણી સ્થિરતા, નિત્યતા, વીતરાગ દશા. મતલબ આવી જાગૃતિ રાખવાથી ચારિત્ર મોહનો હળવે હળવે નાશ થાય છે. જો સત્સંગ રહે તો ફાયદો ઉતાવળે થાય. બાકી તમારે જરા પણ મુંઝાવા જેવું નથી. તમારી ભૂમીકાને એ મુંઝવણ પણ છે ઉપકારી છે, વૈરાગને વધારે છે, અને પુરુષાર્થમાં ઉત્સાહિત રાખે છે. તે દ: છોટાલાલના આત્મવંદન એ પત્ર નં. ૧૨ જ “નિશ્ચય-વહેવાર માર્ગ” આપણી જ્ઞાનધારા વડે કર્મધારા અથવા કર્મદશા અનુભવાય તે વહેવાર. કર્મદશા વખતે અથવા બળવાન કર્મના ઉદયમાં આપણે જ્ઞાનસ્વરૂપ આત્મા છીએ અને ઉદયથી તદ્દન ભિન્ન એટલે જુદા છીએ એવી આપણી જાગૃતિ તે નિશ્ચય. જ્ઞાનીને દેહ છે ત્યાં સુદી કર્મદશા વર્તે છે. પણ પોતે જ્ઞાન સ્વરૂપ આત્મા છે અને કર્મના ઉદયથી પોતે જુદો છે, ભિન્ન છે એવી એની * જાગૃતિ તે કર્મદશાને મોળી પાડે છે અને નિશ્ચય બળવાન થતો જાય છે 1 છે અને કર્મદશા વર્તતી હોવા છતાં એ જાણે છે કે કર્મદશા જડ છે, ' પોતે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એટલે હળવે હળવે ઉદયથી થતી મુંઝવણ | ઘટતી જાય છે. એની સમજણ હોવાથી તે જ્ઞાનદશા વડે કર્મદશાનો ૩૪ શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy