________________
જોગી ચલા વૈકુંઠ મેં, કરણી કો ફળ પાઈ, અર્થેથી પાછા વળ્યા, વહાં ગાંજો તમાકુ નાઈ. કર્મ કડી સજડ જડી; કુંચી સદગુરુ હાથ, મોટા મોટા મથી મુવા, ચસકી નહિ લગાર.
પદ-૫, સોરઠો બ્યુ. વિકટ આતો વાટ, ઓઢે શીર અટાટણી, દુઃખનો વાળ્યો દાટ, અવરાણો તું આત્મા.
પદ-, દોહરા ૭ જ્ઞાનમાર્ગ કોને સમજાવવો અને કોણ સમજી શકે તે વિષે જ્ઞાતા, જ્ઞાન ને શેયનું, ભલું નહિ જ્યાં ભાન, તે ધ્યાતા ને ધ્યેયનું, ધ્યાન છતાં અજ્ઞાન...૧ સત્ સાધન ત્યાં શું કરે, સમજ નહિ જ્યાં છેક, અસત્ રૂપ અધ્યાસની, તાણી રાખે ટેક...૨ જડ ચેતનના ભેદનો, લક્ષ ન જહાં લગાર, કવણ ક્રિયાથી તે કરે, જ્ઞાન ગુણ નીરધાર૩ નિશ્ચય નહિ નિજરૂપનો, ત્યાં વરતે પરભાવ, પર પુગલ પરિણામથી, સમજે નહિ સ્વભાવ..૪
જ્યાં નહિ સમજ સ્વરૂપની, ત્યાં શું આતમ જ્ઞાન, બિન પ્રતિતિ જીવની, જ્ઞાન છતાં અજ્ઞાન...૫ આગ્રહ તજી અજ્ઞાનનો, સમજે વસ્તુ ધર્મ, તે નિજ ગુણ ગ્રાહક બની, માર્ગ તણો લહે મર્મન્ડ ભાત ભાતમાં ભોગથી, અંતર રહે ઉદાસ, મોહાદિ આસક્તિનો, મળે ન મિથ્યા ભાસ-૭ નિજ ગુણ મત આગ્રહતણું, નહિ અંતર અભિમાન, શોધ રહી સત્પુરુષની, સરળપણું શુભ ધ્યાન..૮ ઇચ્છે આશ્રય સંતનો, અવર ન મનમાં આશ, પરમાર્થને પામવા, જેને થઈ જીજ્ઞાસ...૯
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
૨૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org