________________
ઉપદેશ નોંધ ૩૯ જ કર્મની મૂળ પ્રકૃતિ આઠ. તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની છે કહેવાય.
ચાર ઘાતિનીનો ધર્મ આત્માના ગુણની ઘાત કરવાનો અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાનો અથવા (૨) તે ગુણનું બળવીર્ય રોધવાનો
અથવા (૩) તેને વિકળ કરવાનો છે અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા કે તે પ્રકૃતિને આપી છે.
આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દર્શનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભોગઉપભોગ આદિને, તેનાં વીર્યબળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભોગાદિને સમજે છે, જાણે છે દેખે છે, એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભોગાદિનાં વિઘ્ન, જ અંતરાય કરે છે માટે તેને આવરણ નહીં પ્રણ અંતરાય પ્રકૃતિ કહી.
આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ. ચોથી ઘાતિની પ્રકૃતિ મોહનીય છે 1 છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂછિત કરી, મોહિત | જ કરી વિકળ કરે છે. જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહીં છતાં પણ આ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુંઝવે છે માટે
એને મોહનીય કહી, આમ આ ચારે સર્વઘાતિની પ્રકૃતિ કહી. બીજી * ચાર પ્રકૃતિ જોકે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ છે. કર્યા કરે છે, અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણને આવરણ કરવા રૂપે કે અંતરાય કરવા રૂપે કે તેને વિકળ કરવા રૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે.
) ઉપદેશ છાયા ૨ os તીર્થકર કોઈને ઉપદેશ દે તેથી કરી કાંઈ ‘પર ઉપયોગ' કહેવાય છે નહીં. “પરઉપયોગ” તેને કહેવાય કે જે ઉપદેશ દેતાં રતિ, અરતિ,
(૧૩૪)
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org