________________
શાંતિનો અનુભવ થાય, પણ તે વાસ્તવિક આત્મસુખ કે આત્મસમાધિ નથી અને કૃપાળુદેવે આત્મસમાધિ કાયમ જાગૃત રહેવા રૂપ નિર્વિકલ્પતા બતાવી છે. તે નિર્વિકલ્પતામાં જ ખરૂં સુખ, ખરો આનંદ અને સ્વરૂપ પ્રાપ્તિનો માર્ગ સમાયેલો છે. આને માટે આંક ૮૪૩ વાંચી વિચારશો. વળી નિર્વિકલ્પતા માટે જુનું પુસ્તક પાનું ૭૦૭ આંક ૭૮રની છેલ્લી ત્રણ લીટી વાંચશો.
બીજું રામચંદ્ર, હરિ, શંકર, પ્રભુ, ઈશ્વર, કૃષ્ણ, પરમાત્મા, પરબ્રહ્મ છે આ બધા શુદ્ધ આત્માના જ નામો છે તેમાં તમને ભેદ કેમ ભાસે છે ? જ રામ નામ કલ્યાણકારક છે તે શાથી ? જ્યારે જ્યારે આત્મા કહો કે રામ કહો અથવા ગમે તે નામ કહો, તેમાં કાંઈ દ્વેષબુદ્ધિ કરવાનું છે કારણ જ નથી. શ્રી રામે આત્મા વિના કાંઈ બીજું નવું પ્રાપ્ત કર્યું ! નથી. તેના માટે યોગવાસિષ્ટના વૈરાગ્ય અને મુમુક્ષુ પ્રકરણ તમને વાંચવા લખ્યું હતું. હજુ પણ તે વાંચશો.
હવે અસંગતા વિષેનો ખુલાસો : આ દેહની અંદર ક્ષણે ક્ષણે જે તે છે માયિક ભાવો ઉઠે છે, જેને તમે વિકલ્પ કહો છો, તે પ્રત્યે અખંડ છે વીતરાગ દશા રહેવી તે અંસગ દશા છે. વધારે ખુલાસો સૌભાગ્યભાઈ ઉપરના અવસાન વખતના પત્રથી વિચારી જોશો. - ત્યાગ વૈરાગ્યના દોહરા નીચે જે લખાણ છે, તે ઉપરના દોહરાનો ' અર્થ નથી કરેલ, પણ આવી રીતે મોહનીય કર્મ શાશ્વત સુખને છીનવી
લઈ ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવી મારે છે. માટે તે ક્ષણભંગુરતાના
પદાર્થોની કલ્પના-જલ્પના વિગેરે નિર્વિકલ્પ સ્થિતિ થયે મટે, અને જ સ્થિતિ કેવા પ્રકારે થાય છે તેમાં જ બતાવેલ છે, કે આત્મ સ્વભાવમાં
રમણતા કરવી, માત્ર દ્રષ્ટાભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ 1 છે. તે બોધ યથાર્થપણે પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય. જીજ્ઞાસામાં ! રહેવા યોગ્ય છે. તેમાં નિર્વિકલ્પતા વિષે તમે પુછાવ્યું તો તેના જવાબમાં આંક ૯૨૭ વાંચી વિચારશો, તેમાં તે જ નિર્વિકલ્પતાનો ખુલાસો છે. - અને તે જ પત્રમાં છેલ્લી ત્રણ લીટી લખેલ છે તેવી નિરંતર ભાવના : દઢપણે વર્યા કરે તો ખરી નિરવિકલ્પતા તે જ છે.
૨૪૪
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org