________________
તેમ જ આ પરમાર્થ માર્ગ પ્રાપ્ત કરવામાં સત્સંગના યોગે ત્યાગ, વૈરાગ્ય પૂરી રીતે લાવવો જોઈએ. ત્યાગ- વૈરાગ્યનું સ્વરૂપ પણ પૂરી રીતે સમજવું જોઈએ. સરાગ દશા અને વીતરાગ દશા પણ બરાબર
સમજવી જોઈએ. બંધ દશા કઈ અને મુક્ત દશા કઈ તે પણ સત્સંગના | યોગે પ્રથમ સમજવી જોઈએ. આ બધું સમજ્યા પછી તે સમજવા પ્રમાણે સ્થિતિ થવામાં તમને બતાવેલું જે જ્ઞાન તે મુખ્યમાં મુખ્ય સાધનભુત છે. તે સાધન વિના સ્થિતિ થવી દૂર્ઘટ છે. સ્થિતિ કહો કે
દશા કહો, બન્ને અર્થ એક જ છે. છેવળી તમે લખો છો કે ઘણા મહાત્માઓએ ઈશ્વરને પ્રસન્ન કરી
ભક્તિ માગેલ છે, અને ઈશ્વરે તેવી વ્યક્તિ તેમને આપેલ છે. તો શાસ્ત્રમાં તો તેમ જ લખાય પણ જો ભક્તિ આપી હોય તો આ જ વસ્તુ આપેલ છે. તે ભક્તિ જ આપી છે તેમ માનશો. તેના વિના કોઈ રીતે આત્મામાં જોઈએ તેવા રૂપમાં ભક્તિ ઉગે જ નહીં, એવો અમને દ્રઢ નિશ્ચય છે. કારણ કે સૌભાગ્યભાઈને લખે છે કે, “તમને પરાભક્તિનાં મૂળની અને સમ્યકજ્ઞાનનાં બીજની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી થતો તે વિચારશો. હવે અહીં તમે વિચારો કે પરાભક્તિનું મૂળ કૃપાળુદેવે શું માન્યું છે ? તે જ વસ્તુના પ્રભાવથી અત્રે અહીં છોટાલાલ તથા વૃજલાલ બંને ઓર દશાને અનુભવે છે. તે દશાને હું પણ અનુભવી શક્યો નથી. તે આ વસ્તુનો જ પ્રભાવ છે. કૃપાળુદેવે જ યમ નિયમ સંજમ આપ કીયો તે પદમાં બધું કર્યું પણ કોઈ અર્થ સર્યો નહીં. છેવટે શું કરવાનું કહ્યું તે વિચારશો. આને માટે આંક ૮૪૩ ૪ વાંચીને વિચારશો. આટલું ઉઘાડું કીધું છે છતાં તમને બીજું ગોતવાનું છે કેમ ગમે છે ? લખો છો કે મારે શું કરવું ? તો કરવાનું તો આ ઘણું જ છે. સંપૂર્ણપણે જ્યાં સુધી આત્મામાં વીતરાગ દશા ઉત્પન્ન ન થાય. નિર્મોહીપણાનો પોતે અનુભવ ન કરે ત્યાંસુધી બીજું કરવા વિષે વૃત્તિ જાય જ કેમ.
હવે જ્ઞાનીની નિર્વિકલ્પતા જુદી છે. તમે લખો છો તે નિર્વિકલ્પતા જુદી છે. તમે લખો છો તે નિર્વિકલ્પતામાં શૂન્યભાસ થવાને કાંઈક
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
ર૪3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org