________________
હોય તે તો આપ અમારા ઉપર એટલી દયાની લાગણી દર્શાવો છો તેથી આપને ધન્ય છે. બધા મુમુક્ષુઓ નિયમિત તો નહીં પણ ઘણા ભાગે કાયમ ભેગા થવાનું બને છે. તેમજ અધ્યાત્મસાર રતિભાઈના ઘરે લાડકચંદભાઈ વાંચે છે. જ્ઞાનામૃતપાન કહેવું સહેલું છે. કરવું જરા કઠીન છે. રસપાનના માટે મોરબી વિગેરેના મુમુક્ષુઓ કરે છે તે ઠીક છે. પણ એકલા રસપાનથી કાંઈ જોઈએ તેવી દશા અનુભવી શકાતી નથી. સૌને જિજ્ઞાસા અને પ્રેમ પ્રફુલ્લિત રહે તો ઘણી વાત છે. મારે માટે તથા લાડકચંદભાઈને માટે રસનિમગ્નપણાનું આપશ્રી આરોપણ કરો તો ભલે અમે તો હાલ મારગના મુસાફર છીએ. આપ મોટા છો એટલે અમને મોટા જ કરી બતાવો. પણ અમે તો આપની ચરણરજના ઉપાસક છીએ. આપના તરફથી કાળીદાસભાઈ તથા લાડકચંદભાઈ ! છે વિગેરેને પ્રભુ સ્મરણ કહેલ છે. આપશ્રીને હાલ નિવૃત્તિ જોગ વિશેષ છે.
છે. તેથી સ્વરૂપાનુસંધાનમાં અનુકૂળતા ગણાય. વાંચવા વિચારવાની ફૂરસદ પણ સારી રહેલ છે. એટલે શ્રીમાનું સુશીલ યોગાન અરવિંદ ઘોષના પુસ્તકો આપ વાંચો છો, વિચારો છો તે ઘણી સારી વાત છે. હું ઇચ્છિત સિદ્ધિ ગમે તે રસ્તે પ્રાપ્ત કરવી, કોઈને લાંબે રસ્તે ને કોઈને ટૂંકે રસ્તે પણ ધ્યેય પ્રાપ્ત થાય તો જ બધો પરિશ્રમ લેખે છે. નહીં તો
તે પરિશ્રમ વ્યર્થ છે. આપ તો બધું સમજો છો માટે આપને કાંઈ . જ લખવાને અમે યોગ્ય જ નથી. આપના પ્રત્યે આંતરિક પ્રેમ બહુ ઉલ્લસે છે છે. માટે સહેજ લખી જવાય છે. અમારા બધાના સંત તો હાલ તમે ! લાગો છો તે ત્યાં છો બાકી તો કોઈ નથી. મણીભાઈ તથા ત્રંબકભાઈને આપે પત્ર લખ્યો તે જાણ્યું. અધ્યાત્મસાર ટીકા સહિત આપે મંગાવ્યો છે પણ તે પુસ્તક ટીકા વગરનું છે, આપ લખો તો મોકલાવું. ટીકા સહિત | તે નવું પુસ્તક છપાયેલ નથી. ફક્ત પ્રકરણ રત્નાકરના પહેલા ભાગમાં
અધ્યાત્મસારના શ્લોકમાં ટીકા ભરેલ છે. તો ત્યાં દેરાસર અથવા જૈન 1 લાયબ્રેરીમાં મળે તો તપાસ કરાવશો. પ્રકરણ રત્નાકરના બધા ભાગો !
વાંચવા વિચારવા જેવા છે. તે તો આપની દૃષ્ટિ બહાર નહીં હોય. જ છે માટે તે પુસ્તક બાબત લખો તેમ કરૂં.
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૩૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org