________________
0 પત્ર ક્રમાંક ૭૧૮ : (આત્મસિદ્ધિ) સૌ. 9 પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. (૧૧)
જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ * લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ છે.
આત્મભાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત થયો ન હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જ - જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. ૧૧.
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. (૩૪)
જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય અર્થાત્ આત્મજ્ઞાન ન . હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. “ જે સંમંતિ પાસહ તે મોળંતિ પાસહ' ' છે જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ છે
આચારાંગસૂત્ર'માં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તોપણ પોતાના જ કુળના ગુરુને સદ્ગુરુ માનવા એ માત્ર કલ્પના છે; તેથી કાંઈ વિચ્છેદ જ ન થાય એમ આત્માર્થી જુએ છે. ૩૪.
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. (૭૮) ' આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના કે તે જ સ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને ? તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો ( કર્તા છે. ૭૮.
મોક્ષમાર્ગ પ્રકાશ
cu
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org