________________
પહોંચતું નથી, તેથી વળી તે લખવાનો વિચાર માંડી વાળવાનું થાય છે. ખરી શાંતિ યથાર્થ બોધ કે વસ્તુસ્થિતિ સમજમાં છે. વસ્તુમાં સમજવાની બે વસ્તુ જડ અને ચેતન.” છે. આ બંને પદાર્થનો સંબંધ કેવી રીતે થાય છે, બન્ને દ્રવ્ય કેવી રીતે દેહમાં એક ક્ષેત્રાવગાહીપણે રહ્યા છે અને તે કઈ ક્રિયા અને કેવા 4 પ્રકારે થાય છે. આ બધું જો તમને સમજાય તો કંઈ દુઃખ નથી. હવે કદાચ તેવા પુસ્તક વાંચવા મોકલું તો જૈન પરિભાષાના શબ્દો જે
તમો બરાબર સમજી શકો નહીં તેથી પણ તમે મુંઝાયા કરો, તેમ 1 સમાગમ બનવો મુશ્કેલ, નહિતર મારા કરતાં પણ વિશેષ છોટાભાઈ જ છે તથા વ્રજલાલ સમજાવી શકે તેમ છે, અને તેમને અહીં ઘણા ભાગે છે નિવૃત્તિ છે. પણ તમારાથી હવે આવવું મુશ્કેલ થયું ત્યાં શું ઉપાય ? છતાં હવે તમે તે બાબતનો અફસોસ છોડી દયો તો સારું કારણ કે
જે થયું તે ઘણું થયું છે ને ખરું થયું છે. માટે શાંતિમાં રહેવાનો 1 અભ્યાસ હવે તો વધારો.
આત્મા નામનો પદાર્થ અરૂપી હોવાથી જ્ઞાની પુરુષોએ તેને લક્ષણાદિ ભેદથી તેનું સ્વરૂપ બતાવ્યું છે. લક્ષણ ગુણ અને વેદનપણે આત્મા ' સ્વરૂપ સમજવું એટલે પ્રથમ બતાવ્યા તે જ્ઞાન, દર્શન, ચારિત્ર પણ તે ! છે જ છે. તે ત્રણે પ્રકારે આત્મસ્વરૂપ સમજવું, જાણવું અને અનુભવમાં
લાવવું અને તે જ પદમાં સ્થિતિ થવી તે જ્ઞાનદશા છે. આ જ્ઞાનદશા
ચોથા ગુણસ્થાનકથી માંડી ઉત્તરોત્તર વધતી વધતી તેરમાં ગુણસ્થાનક છે. સુધી છે. તેરમે પુરણ સ્વરૂપની પ્રાપ્તિ હોય છે.
હવે જ્ઞાનપણું, જીવે પોતાની કલ્પના મુજબ દૃષ્ટિ કલ્પી લીધેલી ન હોવાથી, જ્ઞાની પુરુષની ઓળખાણ પડવી બહુ કઠીન છે. તીવ્ર મુમુક્ષતા ઉત્પન્ન થયે, દર્શન મોહનો નાશ થયે તે જ્ઞાની પુરુષની ઓળખાણ થાય છે છે. જ્ઞાનીપુરુષની ઓળખાણ નહીં થવાનું કારણ એવું લાગે છે કે ! ચોથા ગુણ સ્થાનકે સ્વરૂપની પ્રતિતી તો બરાબર છે, પણ કષાય અને જે ચારિત્ર મોહનો ઉદય અમુક ગુણસ્થાનક સુધી હોય છે તેથી તે પુરુષનો |
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org