________________
મેડી ઉપર આ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. અને તે દિવસ શ્રી વૃજલાલા તે માટે ધન્ય ધન્ય બની ગયો.
આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શ્રી વૃજલાલભાઈનો પુરૂષાર્થ જાય ! ઉપડ્યો. વૃજલાલભાઈને પૂ. કાળીદાસભાઈ જેવા અનુભવી જ્ઞાની સાન્નિધ્ય હોવાથી તેમનું કાર્ય જલ્દી થઈ ગયું. તે એ રીતે કે જેમ !
કૃપાળુદેવે શ્રી સોભાગભાઈને ઊંચે લઈ જઈ દ્રવ્ય પ્રગટ કરાવ્યું હતું, છેતે જ રીતે પૂ. શ્રી કાલીદાસભાઈએ શ્રી વૃજલાલભાઈને ઊંચી ભૂમિકાએ
લઈ જઈ દ્રવ્ય પ્રગટ કરાવ્યું.
પ્રકરણ-૫ શ્રી છોટાલાલભાઈ મગનલાલ દેસાઈ પિતા મગનલાલ બાવાભાઈ દેસાઈ અને માતા હરિબહેનની કુક્ષે બોટાદ મુકામે શ્રી છોટાલાલભાઈ મગનલાલભાઈ દેસાઈનો જન્મ થયો હતો. બાળપણથી જ રમતગમત અને ભણવામાં ખૂબ જ હોંશીયાર હતા. પ્રાથમિક અભ્યાસ તેમણે સાયલામાં જ પાંચ ધોરણ સુધી કર્યો હતો. અને અંગ્રેજી ૩ ધોરણ સુધીનો અભ્યાસ તેમણે બોટાદ કર્યો હતો. સંવત ૧૯૫૬થી ૧૯૫૯ સુધીમાં ભૂજમાં અંગ્રેજી ચોથા ધોરણથી મેટ્રીક સુધીનો અભ્યાસ પૂરો કર્યો. - તેઓશ્રી સંવત ૧૯૬૫માં કલકત્તામાં શેઠ અબ્દુલાભાઈ જુમાભાઈ લાલજીની ઓફીસમાં મેનેજર તરીકે પૂર્ણ સત્તાથી જોડાયા હતા. તેમની . કામ કરવાની પદ્ધતિ, કુશાગ્ર બુદ્ધિ, કોઠાસૂઝ અને પ્રમાણિકતા જોઈને તેમના શેઠના તેઓશ્રી ઉપર ચારે હાથ હતા. અવારનવાર તેમના શેઠને પગાર બાબત પૂછતા અને શેઠ જવાબ આપતા કે તમારે જોઈએ તેટલા ખર્ચ પૂરતા પૈસા ઉપાડો અને પગારનું આગળ ઉપર જોઈ લેશું, આ રીતે ૨૪ વર્ષો ગયાં. તેમના શેઠ અબ્દુલ્લાભાઈ જુમાભાઈએ સંવત ૧૯૮૯માં તેમનો પગાર બાબતનો હિસાબ કરતાં ઘણી મોટી
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org