________________
જ તેમના પત્ર નં. ૩૬૦, મુંબઈ ચૈત્ર વદ, ૧૨ રવિવાર ૧૯૪૮ ના છે. પહેલા પેરામાં નીચે મુજબ લખેલ છે :
જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણે વર્તે છે, અને વિષય છેપ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. - શ્રીમદ્જીએ સૌભાગ્યભાઈને સુધારસ માટેનું અપૂર્વ મહાસ્ય જણાવતો
એક ખુલ્લો પત્ર નં. ૪૭૧ મુંબઈ, આસો સુદ ૫, શનિવાર, સંવત - ૧૯૪૯માં નીચે મુજબ લખેલ છે :
આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ થવા માટે જ સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક અપૂર્વ આધાર છે; માટે કોઈ રીતે તેને બીજજ્ઞાન કહો તો હરકત નથી; માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ, કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ છે જાણનાર હોવો જોઇએ.
દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં, પણ તે ક્યારે ? સ્વદ્રવ્ય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવે યથાવસ્થિત સમજાયે. સ્વદ્રવ્ય સ્વરૂપ પરિણામે પરિણમી અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ, કૃતકૃત્ય થયે કંઈ કર્તવ્ય રહેતું નથી; એમ ઘટે છે, અને I એમ જ છે.
ઉપરનો પત્ર સૌભાગ્યભાઈને મળતા શ્રી સૌભાગ્યભાઈએ શ્રીમદ્જીને છે એમ લખ્યું જણાય છે કે ખુલ્લા કાગળમાં સુધારસ વિષે કેમ લખ્યું ? ( તેનો જવાબ શ્રીમદ્જીએ, મુંબઈ આસો સુદ ૯ બુધવાર સં. ૧૯૪૯ના ! ( પત્ર નં. ૪૭રમાં તે જ્ઞાન વિષેનું વિવેચન ખૂબ જ લંબાણપૂર્વક કરેલ છે છે. આ પત્ર ખૂબ જ સ્થિર ચિત્તે ફરી ફરી વિચારવા યોગ્ય છે. તે
પત્રના પહેલા બે પેરા ખૂબ જ ઉપયોગી હોવાથી નીચે આપેલા છે :
૧૯૫
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા) '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org