________________
' ચતુર્થ ચિત્ર:
ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ યોવન ધરા, એ મોહ અજ્ઞાત્વના;
રે! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના.૮૫૪૪ તે પંચમ ચિત્ર:
ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાથે આમ.(પા )
* ષષ્ઠ ચિત્ર :
અનંત સૌખ્ય, નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા !! ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. (૫૪)
મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૫:
શુભ શીતળતામય છાય રહી, મનવાંછિત જ્યાં ફળ પંક્તિ કહી;
જિનભક્તિ ગ્રહો તરૂકલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. શિક્ષાપાઠ ક૭ઃ
બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોય અરે ! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષ લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો? ૧
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org