________________
શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; જ એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સદ્ગુરુ ચરણના 4 આશ્રયે કરી બોધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરૂષને પણ સદ્ગુરુના
સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ ' જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ | * સ્થિર રહેવો વિકટ છે.
જી પત્ર ક્રમાંક ૧૪૮ ૪ દેશ્યને અદૃશ્ય કર્યું, અને અદૃશ્યને દૃશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું છે. આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. '
0 પત્ર ક્રમાંક ૧૪૯ ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યસ્થિતિ !
એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘડીનો હીન જ ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ ? એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્ત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે. છતાં દુ:ખ અને ૪ આનંદ ભોગવે છે એનું શું કારણ હોવું જોઈએ ? અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ. હીન ઉપયોગ થતો અટકાવવાનો પ્રત્યેક છે. પ્રાણીની ઇચ્છા હોવી જોઈએ. પરંતુ ક્યા સાધન વડે ?
આ પત્ર ક્રમાંક ૬૫૦ઃ સૌ. ૭ અંતર્મુખષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા
' મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org