________________
સખી ભાદરવે ભરથાર, ભેટી રે નહિ ભામની, લીધી માળા મેં તો દીન રાત, પીયુના નામની. સખી સરિતા સીંધુને વાટ, ચાલી ઉમંગમાં, પણ પીયું વળ્યા નહિ વાટ, રહેવા મુજ સંગમાં..૧૧ આમ કરતાં આવ્યોઆસો માસ, અરે અમથો જશે, મારા પ્રેમી પ્રીતમનો મેળાપ, મુને રે કેદી થશે. આવ્યા નવા દીવાળીના દિન, બાજુબંધ બંગડી, કરી રહ્યા ઘણા ચળકાટ, હું તો પીળી પડી..૧૨ આવ્યા અધીક માસે રે ઘેર, પીયું પ્રીતે મલ્યા, મારા વિરહ વિજોગી દીન, દુઃખરે આજે ટળ્યા. પ્યારા મારાને પરદેશે પંથ, કંથ જાવા નહિ દઉં, વાલાવિરહ અગ્નીનોવિજોગ, હવે હુતોનહિ સહે...૧૩ હોજો પશું પંખી નર નાર, સંસાર સંજોગમાં, કાળુ દુઃખ કહ્યું નવ જાય, વાલમ વિજોગમાં..૧૪
9 પદ-૪૨, કીર્તન : પ્રભુ ભજન વિષે ૭ હરી ભજ, હરી ભજ, હરી હીરા,
હાર પ્યારા, હરી ઘરેણું સાચુંજી-એ ટેક. માત પિતા સુત ધન ધણીયાણી, સરવ સુખ છે કાચુ જી કર જગતાત તણી આશ તોડી,
પાસ ઈશ નગદ નાણું છે-સાચુજી...હરી ભજ મુક મારું તારું મન ખારું કરી દે, તારું કરી લે હાથે જી છોડી સંબંધ સૌ સગા સહોદર, સેવક નાવે સાથેજી.હરી ભજ જોતાં જોતાં ગયું જોને જાગી જોબનીયું, ઘેરો જરાએ ઘાલ્યો જી. મુક આજ કાલ, કર અબ, થશે કબ પછી,
વખત જાય છે ચાલ્યોજી....હરી ભજ
૨૯
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org