________________
છે, અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલું જ નહીં પણ ‘મૂળમાર્ગ’ની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે.
O પત્ર ક્રમાંક ૭૧૦ ૩
.
આત્મા સચ્ચિદાનંદ
જ્ઞાનાપેક્ષાએ સર્વ વ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું.
નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ
છે.
સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા
છે.
૯૨
જે સર્વને જાણે છે તે આત્મા છે.
જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે.
ઉપયોગમય આત્મા છે.
અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે.
આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે.
તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી.
ભ્રાંતિપણે પરભાવનો કર્તા છે.
તેના ફળનો ભોક્તા છે.
ભાન થયે સ્વભાવપરિણામી છે.
સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે.
आत्मा
सच्चिदानंद
Jain Education International
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
www.jainelibrary.org