________________
* સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઈએ; અને વર્તમાનમાં
પણ જે જ્ઞાની પુરુષોએ જ્ઞાન સંપાદન કરેલું છે તેના વચનોને મળતું ' આવવું જોઈએ, નહીં તો અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એમ કહેવાય.
સામાયિક કાયાનો યોગ રોકે; આત્માને નિર્મળ કરવા માટે કાયાનો જ યોગ રોકવો. રોકવાથી પરિણામે કલ્યાણ થાય. કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરો. જ્ઞાનીપુરુષનાં વચનો સાંભળી, સાંભળીને ગાંઠે બાંધો તો આત્માની સામાયિક થશે. આ
કાળમાં આત્માની સામાયિક થાય છે. મોક્ષનો ઉપાય અનુભવગોચર છે. છે. જેમ અભ્યાસે અભ્યાસે કરી આગળ જવાય છે તેમ મોક્ષને માટે છે આ પણ છે.
સપુરૂષો મળે જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યો જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય.
ઉન્માર્ગને મોક્ષ માર્ગ માને અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે - મિથ્યાત્વ-મોહનીય.” છે ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો છે. 1 જે ભાવ તે “મિશ્રમોહનીય.”
આત્મા આ હશે ? તેવું જ્ઞાન થાય તે “સમ્યકત્વમોહનીય.” આત્મા આ છે” એવો નિશ્ચલભાવ તે “સમ્યકત્વ.'
. ઉપદેશ છાયા ૯ જ પ્રશ્ન : મોક્ષ એટલે શું?
ઉત્તર : આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે; સર્વ * કર્મથી મુક્ત થવું તે “મોક્ષ. યથાતથ્ય જ્ઞાન પ્રગટ્ય મોક્ષ. ભ્રાન્તિ રહે
ત્યાં સુધી આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેનો
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org