________________
પત્ર ક્રમાંક ૩૭૬ઃ એ. 8 હાલ અત્રે બાહ્ય પ્રવૃત્તિનો જોગ વિશેષપણે રહે છે. જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલાં એવાં પૂર્વકમ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપાને અર્થે હોય છે.
જે ભાવે ફરી સંસારની ઉત્પત્તિ હોય છે; તે ભાવ જેને વિષેથી નિવૃત્ત થયો છે, એવા જ્ઞાની પણ બાહ્યપ્રવૃત્તિનાં નિવૃત્તપણાને અને સત્સમાગમનાં નિવાસપણાને ઇચ્છે છે. તે જોગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી અવિષમપણે પ્રાપ્તસ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ | વિશિષ્ટભાવે નમસ્કાર કરીએ છીએ.
હાલ જે પ્રવૃત્તિજોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના છે કારણથી રહીએ છીએ. આત્મદષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિનોગથી ! બાધ નથી પામતું. માટે ઉદય આવેલો એવો તે જોગ આરાધીએ છીએ. અમારો પ્રવૃત્તિજગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિષે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે. -
જેને વિષે સસ્વરૂપ વર્તે છે, એવા જે જ્ઞાની તેને વિષે લોકસ્પૃહાદિનો ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે, તે નિકટપણે કલ્યાણને પામે છે, એમ જાણીએ છીએ.
પત્ર ક્રમાંક ૩૭૭ ૪ યોગ અસંખ જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે; છે. નવ પદ તેમજ જાણજો, આતમરામ છે સાખી રે.'
આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તો એમ છે કે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. દેહાદિને વિષે અપ્રતિબદ્ધ છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org