________________
જ નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે.
) પત્ર ક્રમાંક ૫૮૩ % એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત ! આ અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી જ
પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો છે બનતો નથી, એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે.
0 પત્ર ક્રમાંક પ૮૫ ઃ સો. ( જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિકતણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિન વિરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાયઅભાવ રે.
સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વકર્મનો ક્ષય થયે જ છે અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચન ..
અત્યંત સાચાં છે, કેમકે સત્સંગથી, પ્રત્યક્ષ, અત્યંત પ્રગટ તે વચનોનો ! જ અનુભવ થાય છે.
નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. તે 1 સુધારસ, સત્સમાગમ, સલ્લાસ્ત્ર, સદ્વિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ - સૌ તે સ્થિરતાના હેતુ છે.
D પત્ર ક્રમાંક ૫૮૬ઃ સો. ૯૪ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી ! એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે, તે જિન વીતરાગના ચરણકમળને વિષે જ અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે.
૭૨
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org