Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૧૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪
- -
-
-
-
-
- -
સમાલોચના
૧ અઢાર વર્ષની અંદરની દીક્ષામાં બધે લેખિત સંમતિ લખનારે સંમેલનના ઠરાવો વિચારવા.
| (વીરશાસન) ૧. વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવી ને તે માટે કાન વીંધવાનું વિધાન કરનાર એક પણ પાઠ આપો.
૨. જિનેશ્વર મહારાજ અને અન્ય વ્યાખ્યાનકારોની યોગમુદ્રાનો ભેદ ખુદુ ચૈત્યવંદન ભાષ્યકારે થાન્તિ અપત્તિયં નવ એમ કહીને સ્પષ્ટ જણાવ્યો છે. ૩. પુસ્તક વગર અગર પુસ્તક સાપડી ઉપર રાખી વાંચે તો યોગમુદ્રા અને નાના પુસ્તકને એક હાથમાં રાખી પ્રવચનમુદ્રા માને તો મુહપત્તિ હાથમાં રહી શકે છે. ૪. વ્યાખ્યાન સિવાયના સ્વાધ્યાયાદિમાં જલવાશે ને સાવધ વચન નહિ થાય તે વ્યાખ્યાનમાં પણ તેમ કેમ નહિ થાય? ૫. શ્રાવકને તેની રીતિએ પુસ્તકની કે તેમાંની સ્થાપનાની આશાતના ટાળવા બાંધવાનું હોય છતાં તમારે તેનું અનુકરણ કરવું હોય તો બધી વખત પુસ્તક ઝાલતાં બાંધવું. ૬. મણકા માટે ઉપદેશ રસાયન દેખવો. ૭. કિરણોનો સ્વભાવ પ્રસરવાનો છે ને તેથી ક્રાંતિનું કથન અબંધનને જણાવે છે. વર્ણનનો અધિકાર પણ નથી. ૮. બાંધનાર પક્ષે મુંબઈથી ચર્ચાપત્ર લખાવીને ચર્ચાની શરૂઆત કરી છે. (જૈન) પંચવસ્તુની ૯૫૭ મી ગાથાનું ચર્ચાસારવાળું તાત્પર્ય ગાથાનું ટીકાથી સંગત નથી એમ હવે તમે પણ માનો છો, તેમ તેમાં આપેલ અપિશબ્દ વકરા ને શ્રોતાની સરખી અવસ્થા જણાવે છે તે વિચારો. ૨. ચર્ચા ન કરવાની તમારા પક્ષે કબુલાત લીધી એ વાતનું મૌખિક તત્ત્વ જવા દઈએ પણ ખુદું શેઠશ્રીનું ભાષણ વાંચવું. તે વખતે છાપું કાઢનારને પૂછો કે જેથી ખસ્યાનું માલુમ પડે. ૩. તટસ્થથી સાચો નિર્ણય મળે નહિ એમ તમો માનો છો તે ઠીક નથી. તમો મધ્યસ્થ બુદ્ધિએ જેને તટસ્થ તરીકે નીમો તે કબુલ હતા તેથી તમને નીમવા લખ્યું હતું. ૪. ચોમાસાની દીક્ષાનો પુરાણ અને ભાવિત શ્રાદ્ધ માટે નિષેધ નથી એ હકીકત નિશીથભાષ્ય ૧૦ ઉ. થી સ્પષ્ટ છે. અન્ય માટેના નિષેધમાં દશ વૃત્તિકાર મહારાજ પણ પ્રાયશબ્દ લખે છે. ૫. પરંપરારૂપે કહેવું ને શાસ્ત્રના અનર્થક પાઠો આપવા એ કેમ શોભે ? ૬. આચરણા ને આગમોકર કહેનારે સમજવું જરૂરી છે. ૭. નિર્દેતુક તેમજ સાવદ્ય આચરણા માનવાની શાસ્ત્રકારો સ્થાને સ્થાને મનાઈ કરે છે. ૮. શ્રી કાલકાચાર્ય મહારાજે મંતરવિ પાઠથી આચારણા કરી છે તો તમારી આચરણામાં કોઈ પાઠ છે કે ? ૯. પર્યુષણા કલ્પકર્ષણમાં અપવાદના લેખો છે. ૧૦. ગણધર મહારાજે