________________
દાદાશ્રીએ હીરાબાને કિંચિત્માત્ર દુઃખ ના પડે એની નિરંતર જાળવણી કરેલી. હીરાબાના પંચોતેર વર્ષે, પોતાના સિત્યોતેર વર્ષે દાદાશ્રી કહેતા કે તમારા વગર ગમતું નથી. તે બા સાચું જ માને. શાથી, ત્યારે દાદાશ્રી કહે છે કે અમે પિસ્તાળીસ વર્ષથી ધણીપણું છોડી દીધું ત્યારે એમને વિશ્વાસ બેઠો, નહીં તો વિશ્વાસ બેસે નહીં ને !
બે જાતના પ્રેમ રાખવા, એક શુદ્ધાત્મા ભાવે રિયલ પ્રેમ રાખવો અને બીજો આસક્તિ ભાવનો રિલેટિવ પ્રેમ.
દાદાશ્રી અમેરિકા હોય તોય દહાડામાં પંદર-વીસ વખત યાદ કરવાના. એમની તબિયત સારી રહે તેને માટે આશીર્વાદ મોકલવાના, બીજું મોકલવાનું. કેટલો લાગણીવાળો વ્યવહાર કહેવાય ! જ્ઞાની પાસે આ શીખવા જેવું છે બધું.
[૧૭] વિષય બંધ થયા પછી મતભેદ બંધ
જ્યારથી પત્ની સાથે વિષય બંધ થયો ત્યારથી પોતે એમને હીરાબા' કહેતા. ત્યારથી કંઈ ખાસ અડચણ આવી નથી. વિષયના સંબંધને લીધે અથડામણ થતી હતી. વિષય હોય ત્યાં સુધી એ ડંખ સામસામે માર્યા કરે. અહંકારને લઈને પણ છેવટે હીરાબા સાથે સમાધાન કર કર કરવું પડેલું. સમજણ પાડીને ધીમે ધીમે સમાધાન કરાવેલું. સમાધાનપૂર્વક બંધ થયા પછી બેઉને શાંતિ રહેવા માંડી. એ છૂટ્યા પછી નિરંતર સમાધિ રહેતી.
[૧૮] હીરાબાએ પણ સ્વીકાર્યા ભગવાન તરીકે
દાદાશ્રીનો ને હરાબાનો આદર્શ વ્યવહાર હતો. હીરાબાએ દાદાશ્રી પાસે જ્ઞાન લીધેલું પછી કહેતા કે મારેય મોક્ષે જવું છે.
પહેલા હીરાબા માનતા કે કૃષ્ણ ભગવાન એ જ ભગવાન. પછી ધીમે ધીમે એમને સમજાતું ગયેલું. દાદાશ્રી પણ કહે, કે “હું કંઈ ભગવાન છું? ભગવાન એ જ ભગવાન છે.” ત્યારે હીરાબા કહે, ‘તમે જ ભગવાન છો, નહીં તો આટલું બધું લોક આવતું હશે ?”
દાદાશ્રીની સમજણના રિવોલ્યુશન અને હીરાબાની સમજણના