________________
૧૨૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
નીરુમા : દાદા કહે છે તમારું', હવે એમાં કોણ સાચું ? હીરાબા ઃ ના, ના, મારું ચલણ તો શાનું હોય ? નીરુમા એ કહે છે, “દાદાનું જ ચલણ હતું.”
દાદાશ્રી : પણ છતાં હું કહેતો'તો, “ચલણ તમારું, ઘર તમારું. હું તો મહેમાન.” એવું કહેતો.
નીરુમા : એવું ખરું બા? હીરાબા : મહેમાન કહે, તોય પણ “ઊંચા” તે.
દાદાશ્રી : એ તો ખાનદાન ઘરના, તે એમણે ચલણ કોઈ દા'ડો લીધું નથી. “ચલણ તમારું' કહે છે. હું તો કહેતો કે “બધું એમનું જ ચલણ, મારું ચલણ જ નહીં.” તોય મને કહેતા'તા કે “મને શું કરવા વગોવો છો ? તમારું ચલણ ચાલે છે.”
નીરુમા : બા, એ ખરું, દાદાનું ચલણ તો ખરું ને? હીરાબા હાસ્તો. ચલણ તો એમનું જોઈએ, નહીં તો બૈરી ચઢી જાય. નીરુમા : એમ ? હીરાબા : ત્યારે ! બૈરીને તો જરીક ધાક દેખાડવી પડે. દાદાશ્રી : હા, બરાબર. પૂજ્ય નીરુમા સંપાદિત વાણીમાંથી...)
યજમાત-મહેમાનતું “કપલ’ પરમ પૂજ્ય દાદાશ્રી હંમેશાં કહેતા,
મામાની પોળનું ઘર તો હીરાબાનું કહેવાય. અમે તેમના ગેસ્ટ, અમે એમને ત્યાં મહેમાનની જેમ રહીએ. મહેમાન હોય તેને થાય કશો ડખો ?”