________________
[૧૧] દાદા તીખા ભમરા જેવા
દાદાશ્રી : એમ ?! મને તો આ ખબર નથી, પહેલા હતો.
નીરુમા : એમને વધારે ખબર, દાદા.
૨૩૩
હીરાબા ઃ મને વધારે પડે ને !
:
દાદાશ્રી : હા, હા.
નીરુમા : પછી બા, તમને ફેરફાર શું લાગ્યો ? પછી આમ શાંત-બાંત થયા'તા, બા ?
હીરાબા : શાંત તો થયા જ ને !
નીરુમા : પછી વાણીમાં કંઈ ફેરફાર થયો'તો, બોલવામાં ?
હીરાબા : બોલવામાંય ખરું.
પૂજ્ય નીરુમા સંપાદિત વાણીમાંથી...
‘બા' તરીકે સંબોધાયા
સંપૂજ્ય દાદાશ્રી પૂજ્ય હીરાબાને વર્ષોથી ‘હીરાબા' કહીને બોલાવતા. મહાત્માઓએ તો દાદાશ્રીને હીરાબાના સંબોધનથી બોલાવતા જોયા છે. હા, મેં બે-ત્રણવાર પૂજ્ય દાદાને ભૂલથી જૂની આવડત પ્રમાણે ‘હીરા’ અને ‘તું’ના સંબોધનથી સાંભળ્યા છે ખરા !