________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
કહેતા, નહીં તો એ ભત્રીજા વહુ થાય. કોઈ કહેતું હશે ? પણ ના, બધાને આપણે પ્રેમથી બોલાવવાનું. આપણે એવું નહીં. આ હીરાબાને ‘હીરાબા’ અને દિવાળીબાને ‘દિવાળીબા’. ‘લ્યો-લાવો, લ્યો-લાવો' એ તો કંઈ રીત કહેવાતી હશે ? દિવાળીબા બોલાય, દિવાળી ના બોલાય. આપણી શોભા કહેવાય આ પાંસઠ વર્ષે ‘દિવાળી' હું બોલું તો ? સિત્તેર વર્ષના થયેલા ને, ‘લ્યો દિવાળી, લ્યો દિવાળી'. આપણી શોભા ક્યારે રહે ? ‘દિવાળીબા' બોલીએ ત્યારે. અને હીરાબાય ‘હીરાબા' કહેવાય.
૩૧૪
ઉંમર આટલી સિત્તેર વર્ષની થયેલી, ‘તું કંઈ ગઈ હતી ?’ અરે, આ તે કંઈ રીત છે ? હું કહ્યું, “તમે ક્યાં ગયા હતા ?” અને એમને કહું કે ‘એય, તું આમ કેમ બેઠી છું ?” તો મારું મોઢું સારું દેખાય ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : અત્યારે બોતેર વર્ષે હું ‘હીરાબા' કહું છું, લગભગ પચ્ચીસેક વર્ષથી. લોક ‘બા બા' કરતા હોય ને હું છે તે ‘એય, એય’ કરતો હોઉ તો એ કેટલું ખરાબ લાગે ? મૂઆ, શું તારે મેળાપ નહીં પડેલો, પૈણ્યો હતો ત્યારે ? ‘એય, એય’ કરવા પૈણ્યો હતો ? કંઈ વિગત તો હોવી જોઈએ ને ? પ્રેમ કે એવું કંઈ તો હોવું ના જોઈએ બધું ? તે અમેય ‘હીરાબા’ કહીએ છીએ. ‘હીરાબા, કેમ છો, કેમ નહીં ?' ત્યાં બેસીએ, બોલીએ. તમને કેવું લાગે છે ? મારી રીત ગમે છે થોડી ઘણી ?
પ્રશ્નકર્તા : બરાબર છે. કાલથી પ્રેક્ટિસમાં મૂકવા માંડીએ હવે.